Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

બોર્ડર વિલેજના ગામોની વસ્તીને નાસિક મહારાષ્ટ્ર તરફ જવા- આવવા માટે આશરે 20 કિમીનો ઘટાડો થયો.

ચવરા ખાતે યોજયેલા કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યના વિકાસની કેડી કંડારી છે તેને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આગળ વધારી રહ્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2002 માં ગામના લોકોને ચોવીસ કલાક વીજળી મળી  રહે તે માટે જ્યોતિગ્રામ યોજના શરૂ કરી હતી જેના લીધે આજે ગામડામાં ચોવીસ કલાક વીજળી મળી રહે છે.  આ યોજનાને કારણે આજે દેશમાં ચોવીસ કલાક વીજળી આપતું ફક્ત ગુજરાત રાજ્ય જ છે એમ કહ્યું હતું. ધરમપુર તાલુકાના મહારાષ્ટ્ર સરહદે આવેલા બોર્ડર વિલેજના ખડકી, માધુરી, ચવરા, ખોબા, ખપાટીયા, સાતવાંકલ અને તૂતરખેડના ગામોની અંદાજીત 4200 ની વસ્તીને નાસિક જવા- આવવા માટે 20 કિમીનો ચકરાવો ઘટશે આ ઉપરાંત ધરમપુર તાલુકા મથકે જવા આવવામાં સરળતા રહેશે એમ મંત્રીએ જણાવ્યું હતું.                                               આ પ્રસંગે વલસાડના સાંસદ ડો.કે.  સી. પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચનમાં વલસાડ જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર નિખિલ પાંચાલે મુખ્યમંત્રી  ગ્રામસડક યોજના હેઠળ તૈયાર થયેલા આ બ્રિજની રૂપરેખા આપી  હતી. આ કાર્યકર્મમાં ચવરા અને આસપાસના ગ્રામ્યજનો હાજર રહ્યા હતા.                           ——-

संबंधित पोस्ट

देहरादून : उत्तराखंड रोजगार मेले पर पीएम मोदी ने युवाओ को पहाड़ पर ही रोजगार के अवसर दिलाने का किया वादा

Admin

महाराष्ट्र: केंद्रीय मंत्री ज्योतिरादित्य सिंधिया ने कहा- एकनाथ शिंदे बाल ठाकरे की विरासत को आगे बढ़ाएंगे

Admin

राजस्थान के मुख्यमंत्री अशोक गहलोत का कोटा और झालावाड़ का दौरा

Admin

ગુજરાતમાં BJPએ બનાવ્યો વધુ એક ‘રેકોર્ડ’, CR પાટિલને સોંપવામાં આવ્યું સર્ટિફિકેટ 

Admin

કર્ણાટકમાં ભાજપ માટે આગળ કૂવો અને પાછળ ખીણ? જાણો, અમિત શાહની યેદિયુરપ્પા સાથેની મુલાકાતનું રાજકીય મહત્ત્વ

Karnavati 24 News

राहुल गांधी ने प्रधानमंत्री को महंगाई हल्ला बोल रैली में दिया जवाब

Admin