અંકલેશ્વરના સારંગપુર ગામમાં બે સગી બહેનો રહસ્યમય સંજોગોમાં લાપતા બનતા પોલીસે તપાસ દોર શરૂ કરી
અંકલેશ્વરના સારંગપુર ગામમાં બે સગી બહેનો રહસ્યમય સંજોગોમાં લાપતા બની છે.
પોલીસે અપહરણની આશંકાઓ વચ્ચે તપાસ શરૂ કરી છે.
સૂત્રો અનુસાર સારંગપુર ગામમાં દુકાન ચલાવતા મોહમદ રાજુખાં મહોમદ સાદીકખાનની ૧૪ વર્ષની તોફાખાતુન અને ૧૩ વર્ષની રહેમતીખાતુન પિતાની દુકાનેથી ઘરે જવા રાતે ૯ વાગ્યા બાદના અરસામાં નીકળી હતી.
સારંગપુર ગામમાં બે સગી બહેનો રહસ્યમય સંજોગોમાં લાપતા બની છે.
પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. સૂત્રો અનુસાર સારંગપુર ગામમાં દુકાન ચલાવતા મોહમદ રાજુખાં મહોમદ સાદીકખાનની ૧૪ વર્ષની તોફાખાતુન અને ૧૩ વર્ષની રહેમતીખાતુન પિતાની દુકાનેથી ઘરે જવા રાતે ૯ વાગ્યા બાદના અરસામાં નીકળી હતી. આ બાળકીઓ ત્યારબાદ ઘરે પહોંચી જ ન હતી.
આસપાસ રમતી હોવાના અનુમાન વચ્ચે પ્રારંભે મામલાને ગંભીરતાથી ન લેવાયો હતો પરંતુ લાંબા સમય સુધી બાળકીઓ ઘરે ન પહોંચતા શોધખોળ શરૂ કરાઈ હતી.
પિતાની દુકાનેથી ઘરે જવા નીકળેલી બાળકીઓ ઘરે ન પહોંચી હોવાની જાણ પરિવારજનો અને પોલીસને કરવામાં આવતા પોલીસતંત્ર પણ હરકતમાં આવ્યું હતું. બાળકીઓનો આખીરાત શોધખોળ કરવા છતાં ક્યાંય પત્તો મળ્યો નથી. બનાવ સંદર્ભે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ આજ પ્રકારે અંક્લેશ્વરમાંથી રમતા રમતા લાપતા બનેલી ૯ વર્ષની બાળકી લાપતા થતા જ તેની તપાસ CBI ને સોંપાઈ છે.