Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

ઝઘડિયાના ઇન્દોર ગામે અમારા ફળિયામાં કેમ આંટા મારે છે કહીને એક ઇસમને માર માર્યો

ઝઘડિયાના ઇન્દોર ગામે અમારા ફળિયામાં કેમ આંટા મારે છે કહીને એક ઇસમને માર માર્યો

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામે અમારા ફળિયામાં કેમ આંટાફેરા મારે છે એમ કહીને એક ઇસમને માર માર્યો હતો. ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઇન્દોર ગામે રહેતા મનુભાઇ ખોડાભાઇ વસાવા નામના ઇસમ ગતરોજ તેમના માસીને તેમના ઘરે મુકવા મોટરસાયકલ લઇને ગયા હતા. મોટરસાયકલ બોટમાં મુકીને સામે કિનારે પહોંચ્યા હતા. ત્યારબાદ તેમના માસીને કરજણ તાલુકાના અટાલી ગામે તેમના ઘરે મુકીને બોટમાં મોટરસાયકલ લઇને પાછા ઇન્દોર આવવા નીકળ્યા હતા. તેઓ ઇન્દોર ગામે નદીના ઘાટ પર બપોરના સાડા બાર વાગ્યે ઉતર્યા હતા. તે વખતે નદીના ઘાટ ઉપર બોટમાં મજુરી કામ કરતા ગામમાં જમાઇ તરીકે રહેતા રાજેશભાઇ વસાવા તેમની પાસે આવ્યા હતા અને કહેતા હતાકે અમારા ફળિયામાં અવારનવાર કેમ આંટાફેરા મારે છે? અમારા ફળિયામાં તારે આવવું નહિ. એમ કહિને ઝપાઝપી કરવા લાગ્યો હતો. અને ગાળો બોલીને ઢિકાપાટુનો માર મારવા લાગ્યો હતો. ત્યારબાદ મનુભાઇ મોટરસાયકલ લઇને ઘેર જતા હતા ત્યારે રાજેશે ફરીથી ઉશ્કેરાઇ જઇને લાકડાના પાટિયાના સપાટા માર્યા હતા.
આ હુમલામાં મનુભાઇ ઇજાગ્રસ્ત થતા તેમને ભરૂચ ખાતે સારવાર માટે લઇ જવાયા હતા. ઘટના બાબતે મનુભાઇ વસાવા રહે.ગામ ઇન્દોર તા.ઝઘડિયાનાએ રાજેશ વસાવા રહે.ઇન્દોરના વિરુધ્ધ ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી.

संबंधित पोस्ट

प्रयागराज : महिला के साथ लिव इन में रहने वाले युवक का शव जंगल में पेड़ से लटकता मिला

Admin

महाराष्ट्र: राज्य में कफ सिरप बनाने वाली 6 कंपनियों के लाइसेंस हुए सस्पेंड, 4 को उत्पादन करने से रोका, जाने क्या है वजह

Karnavati 24 News

પિતાએ એક દિવસ પછી મોબાઇલ લેવા જવાનું કહેતા દીકરીને ખોટું લાગી આવ્યું: ૧૫ વર્ષની પુત્રીએ ઝેરી દવા ગટગટાવી

Admin

“कंझावला केस की पीड़िता की दोस्त अब इस मामले की चश्मदीद गवाह, बयान हो रहा दर्ज”: दिल्ली पुलिस

Admin

કાર લે-વેચના ધંધાર્થીને વ્યાજખોરોનો ત્રાસ: આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

Karnavati 24 News

પ્રેમ લગ્ન કરતા યુવતીના પરિવારજનોએ ખાર રાખી યુવતીનું કર્યું અપહરણ: યુવકે સસરા સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી

Admin