આવતીકાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટ્રેડીયમમાં રમાઈ રહેલી મેચ પર સૌ કોઈનું ફોકસ છે. ઈન્ડિયા માટે ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ મેચ જીતવી ખૂબ જરૂરી છે.
જો ભારતીય ટીમ અમદાવાદ ટેસ્ટ જીતશે તો તે કોઈપણ મુશ્કેલી વિના સીધી જ ડબલ્યુટીસી ફાઇનલમાં પહોંચી જશે, પરંતુ અમદાવાદમાં હાર કે ડ્રો થવાના કિસ્સામાં તેણે ન્યૂઝીલેન્ડ વિ શ્રીલંકા શ્રેણીના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. જો આપણે સમીકરણો પર નજર કરીએ તો સરળતાથી કહી શકાય કે ભારતીય ટીમ WTC ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હશે. કારણ કે શ્રીલંકા માટે ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણી જીતવી ઘણી મુશ્કેલ છે.
ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલા જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી ચૂકી છે. હવે અહીં બીજી ટીમ કોણ હશે, ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે રેસ છે. 9 માર્ચથી જ્યાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ રમવાની છે, તે જ દિવસથી શ્રીલંકાની ટીમ ક્રાઈસ્ટચર્ચમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આ બે ટેસ્ટ મેચોના પરિણામો મોટાભાગે અન્ય ટીમ નક્કી કરશે કે જે WTCની ફાઇનલમાં પહોંચશે.
: જો ભારતીય ટીમ અમદાવાદ ટેસ્ટ હારી જાય અને શ્રીલંકા ન્યૂઝીલેન્ડ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી કોઈપણ રીતે જીતે તો શ્રીલંકાની ટીમ WTC ફાઇનલમાં પહોંચી જશે. જો શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ ટેસ્ટ સિરીઝ ડ્રો થાય અથવા શ્રીલંકા હારી જાય તો ટીમ ઈન્ડિયાને WTC ફાઇનલમાં પ્રવેશ મળશે.
જો ભારતીય ટીમને અમદાવાદ ટેસ્ટમાં ડ્રો રમવી હશે તો તે સ્થિતિમાં શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડને ક્લીન સ્વીપ કરવું પડશે, તો જ તે WTC ફાઇનલમાં પહોંચી શકશે. એટલે કે શ્રીલંકાએ બે મેચની ટેસ્ટ શ્રેણી 2-0થી જીતવી પડશે.