Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

અમદાવાદ: અમદાવાદની હવા ઝેરી બની! આ વિસ્તારમાં તો દિલ્હી કરતા પણ બત્તર હાલત

અમદાવાદમાં વાયુ પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે જે એક ચિંતાજનક બાબત છે. શહેરમાં પ્રદૂષણ સરેરાશ 230 AQIને પાર પહોંચ્યું છે. જ્યારે શહેરમાં સૌથી વધારે હવા પ્રદૂષણ પીરાણા વિસ્તારમાં છે જ્યાં તેનું લેવલ 340 AQIને પણ પાર નોંધાયું છે. ઉપરાંત, ચાંદખેડા વિસ્તારમાં એર પોલ્યુશન 180 AQI છે. જ્યારે મોટાભાગના શહેરોમાં પણ AQI 150ને પાર હોવાની માહિતી મળી છે.

દિલ્હી કરતા પીરાણાનો AQI વધારે!

તાજેતરમાં અમદાવાદ શહેરના એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)ના આંકડા સામે આવ્યા છે. જે ચિંતા વધારે એવા છે. અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વાયુ પ્રદૂષણમાં વધારો નોંધાયો છે. આ સાથે અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણનું લેવલ 211 AQI રહ્યું છે. દિલ્હી બાદ હવે અમદાવાદમાં પણ વાયુ પ્રદૂષણની સમસ્યા સતત વધી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, અમદાવાદનો ઓવરઓલ AQI 232 નોંધાયો છે. જ્યારે દિલ્હીનો ઓવરઓલ AQI 312 નોંધાયો છે. માહિતી મુજબ, દિલ્હીના AQI કરતા અમદાવાદના પીરાણા વિસ્તારનું AQI વધારો નોંધાયું છે.

છેલ્લા 2 વર્ષમાં વાયુ પ્રદૂષણમાં સતત વધારો થયો

જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના પર્યાવરણ, ફોરેસ્ટ અને ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જે મુજબ વર્ષ 2020-21માં અમદાવાદમાં 120, સુરતમાં 93, રાજકોટમાં 94 અને વડોદરામાં 95 AQI નોંધાયો હતો. ત્યાર બાદ વર્ષ 2021-22માં અમદાવાદમાં 113, સુરતમાં 100, રાજકોટમાં 116 અને વડોદરામાં 121 AQI નોંધાયો હતો. ત્યારે હવે વાયુ પ્રદૂષણ એક ચિંતાજનક લેવલે પહોંચ્યું છે. જેથી અનુમાન લગાવવામાં આવી રહી છે કે આવનારા સમયમાં અમદાવાદ સહિત રાજ્યના કેટલાક શહેરોમાં લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે.

संबंधित पोस्ट

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત નશામુક્તિ અભિયાન વાનનું પ્રસ્થાન કરાવ્યું

Gujarat Desk

GUJCOST અને GEDA સાથે મળીને ઊર્જા સંરક્ષણ પખવાડિયાના ભાગ રૂપે શ્રેણીબદ્ધ પબ્લિક આઉટરીચ પ્રોગ્રામ / ઉર્જા વોકનું આયોજન

Gujarat Desk

ગુજરાત વિધાનસભા ખાતે શ્રી સરદારસિંહ રાણાની ૧૫૫મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

Gujarat Desk

ગુજરાતની જેલમાં હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનના મામલે CMને સોંપવામાં આવી શકે છે રીપોર્ટ, લેવાઈ શકે છે પગલા

Karnavati 24 News

ક્ષત્રિય સમાજ દ્વારા પણ પદ્માવત ફિલ્મ સમયે તથા અસ્મિતા આંદોલન વખતે થયેલા કેસો પાછા લેવાની માંગણી કરી

Gujarat Desk

શિક્ષણમંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં ગળતેશ્વરના વસો ગામ ખાતે સરસ્વતી વિદ્યાલય નવીન શાળા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

Gujarat Desk
Translate »