Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

સોરઠમાં સાયબર ફ્રોડ: 13 મહિનામાં 49 લોકોએ ગુમાવ્યા રૂ.1.63 કરોડ

જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ગત 13 મહિના દરમિયાન 48 લોકો ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું તો પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યું છે અને આ લોકોએ કુલ 1.63 કરોડથી વધુની રકમ ગુમાવી છે લારી ધારકથી માંડી શિક્ષક અને એમડી તબીબ આંખના સર્જન પણ સાયબર ગઠિયાઓની જાળમાં ફસાઈ ગયા હતા. સાયબર ફ્રોડના બનાવો વધ્યા હોવાથી પોલીસ વિભાગને અલગથી સાઇબર પોલીસ સ્ટેશન સ્થાપવા પડ્યા છે મોબાઈલ નંબર બેન્ક ખાતા સાથે લિંક હોય અને અજાણતા મોબાઈલ ધારકથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો સાયબર ગઠિયાઓ આવા લોકોને ફોન કરી લાલચ આપી અથવા ભોળવી મોબાઇલમાં એપ ડાઉનલોડ કરાવી બેન્ક ખાતામાં રહેલી રકમ ટ્રાન્સફર કરીને ખાતું સાફ કરી નાખે છે જુનાગઢ તેમજ ગીર સોમનાથ જિલ્લામાં 1 જાન્યુઆરી 2022 થી 31 જાન્યુઆરી 2023 દરમિયાન સાયબર ફ્રોડ અંગેના ચાર ડઝન જેટલા ગુના દાખલ થયા છે પરંતુ તેમાંથી ગણતરીના ગુનાઓમાં જ આરોપીઓ પકડાયા છે સાયબર પોલીસ છે એકાઉન્ટમાં પૈસા જમા થયા હોય ત્યાં તપાસ કરવા તે એડ્રેસ પર જાય તો ત્યાં તે વ્યક્તિનું અસ્તિત્વ જ હોતું નથી સીમકાર્ડ પણ બોગસ હોય છે આથી આવા સાયબર ફ્રોડ કરનાર ગઠિયાઓને પકડવામાં પોલીસને મહા મહેનત કરવા છતાં મોટા ભાગે સફળતા મળતી નથી

संबंधित पोस्ट

हरिद्वार: राजमिस्त्री, जो बताता था खुद को सीबीआई का डीसीपी , आया चंगुल में

Admin

બર્બરતાની હદ થઈ પાર! પરિણીત મહિલા પર બળાત્કાર બાદ તેને એસિડથી બાળી, પછી કેરોસીન છાંટીને સળગાવી

Admin

તમે પણ બહારનું સાઉથ ઇન્ડિયન ખાવાનાં શોખીન હોવ તો ચેત જો: મનપાએ ચેકીંગ દરમ્યાન ૯ વેપારીને નોટીસ ફટકારી

Admin

महाराष्ट्र: फूड कंपनी की फ्रेंचाइजी लेने के लिए युवक ने गूगल पर किया सर्च, ठग ने 16 लाख रूपये ऐंठे

Admin

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં એક બંધ મકાનમાં અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મકાનનું તાળુ તોડી મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા. ૨,૧૬,૧૬૦ની મત્તાની ચોરી તસ્કરો ફરાર થઈ જતાં

Admin

વિશ્વ: ફિલિપાઈન્સમાં અંધાધુન ગોળીબારમાં ગવર્નર સહિત 5ની હત્યા, લોકોમાં ભયનો માહોલ

Karnavati 24 News