ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જ કોંગ્રેસ પૂરવ તૈયારીઓ તડામાર રીતે શરૂ કરી દીધી છે. કોંગ્રેસ પ્રદેશ માળખાની જાહેરાત છે એ પહેલાજ નારાજગી સામે આવી રહી છે.
પ્રદેશ કોંગ્રેસનું નવું માળખું જાહેર થતાની સાથે જ કોંગ્રેસમાં આંતરીક વિખવાદ શરુ થઈ ગયો છે. ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ તેને લઈને સોશિયલ મીડીયા પર એક પોસ્ટ જારી કરી છે.
તેમણે પોસ્ટમાં લખ્યું કે, વફાદારીથી રહેવાના સંસ્કારના કારણે ઘણું સહન કરવું પડે છે. બધુ આપને ગમે એવું થોડું થાય, જ્યાં હોય ત્યાં વફાદારીથી રહેવાના સંસ્કારના કારણે ઘણું સહન કરવું પડે છે. છતાંય ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પદાધિકારીઓને ખૂબ અભીનંદન. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ દ્વારા માળખું જાહેર થતા રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં અર્જુન ખાટરીયાની નિમણુક થતા આ નારાજગી વ્યક્ત થઈ હોય તેમ માનવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસ તરફથી મોડી રાત્રે કરવામાં આવી હતી. ગઈ કાલે જ તમામ ધારાસભ્યો, કોંગ્રેસના આગેવાનો વગેરેને અમદાવાદમાં એકત્રિત થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ માળખુ જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા 25 પ્રદેશ ઉપાધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે 75 જનરલ સેક્રેટરીની નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જ કોંગ્રેસ પૂરવ તૈયારીઓ તડામાર રીતે શરૂ કરી દીધી છે. કોંગ્રેસ પ્રદેશ માળખાની જાહેરાત છે એ પહેલાજ નારાજગી સામે આવી રહી છે.