Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
Religion

સુરતની શાળાઓમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અપાયો આદેશ, આ નિયમો પાલન કરવા સૂચન

સુરતની શાળાઓની અંદર કોરોનાના ગાઈડલાઈનના બેઝિક નિયમોનું પાલન કરવાને લઈને આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને કોરોનાના નવા વેરીયન્ટની દહેશતને લઈને રાજ્ય સરકાર દ્વારા 32 હજાર સ્કૂલોમાં ગાઈડલાઈનનું પાલન કરવાને લઈને આગામી સમયમાં પરીપત્ર જારી કરાય તેવી શક્યતા છે ત્યારે એ પહેલા જ સુરતની અંદર કોરોનાને ધ્યાનમાં રાખીને કેટલાક નિયમોનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.

સાવચેતીના ભાગરુપે અત્યારથી જ શાળાઓમાં કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવું જરુરી હોવાથી આ આદેશ આપવામાં આવ્યો છે. સુરતની શાળાઓને કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવા સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાને પત્ર પાઠવી આદેશ કર્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. જે શાળાઓમાં આદેશ કરવામાં આવ્યો છે.

જેમાં ખાસ કરીને ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં બાળકો, બિનશૈક્ષણિક કર્મચારીઓ અને બિનશૈક્ષણિક સ્ટાફ વગેરેને તેનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે. શાળાઓમાં સેનિટાઈઝેશન કરવું, હાથ ધોવા, સોશિયલ ડીસન્ટન્સ જાળવવું વગેરેને લઈને સૂચનાઓ આપવામાં આવી છે. યોગ્ય રીતે માસ્ક પહેરવા પણ સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને કોરોનાની પ્રથમ લહેર બાદ ત્રીજી લહેર સુધી કોરોનાના કેસો સામે આવ્યા છે. શાળાઓમાં વિદ્યાર્થીઓ સંક્રમિત અગાઉ થયા હતા ત્યારે અત્યારથી જ શાળાઓ સતર્ક જોવા મળી રહી છે. કેટલીક શાળાઓમાં ખાસ કરીને અત્યારથી વિદ્યાર્થીઓ માસ્ક પહેરતા પણ નજરે પડી રહ્યા છે.

संबंधित पोस्ट

स्वच्छ और हरा-भरा पटना मेरा सपना है: मेयर सीता साहू

Admin

IPL 2023 के लिए BCCI बदलेगा अपना नया प्लान, यह है IPL क्रिकेट का आयोजन

Admin

बलविंदर पाल सीआईए स्टाफ होशियारपुर के नेतृत्व में विशेष टीम ने जिला होशियारपुर क्षेत्र में लुटेरों व चोरों के गिरोह का पर्दाफाश

Admin

नशा मुक्त समाज बनाने के लिए संयुक्त प्रयासों का आह्वान उपायुक्त की ओर से प्रत्येक विभाग को अपने-अपने स्तर पर पहल शुरू करने का निर्देश

Admin

फरीदाबाद: एडीसी अपराजिता ने परिवार पहचान पत्र को अपडेट करने को लगाए गए कैंपो का किया निरीक्षण

Admin

उज्जैन के महाकाम मंदीर में नए साल में लाखो श्रद्धालुकी भीड बढेगी

Admin
Translate »