Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
Religion

સુરતની શાળાઓમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અપાયો આદેશ, આ નિયમો પાલન કરવા સૂચન

સુરતની શાળાઓની અંદર કોરોનાના ગાઈડલાઈનના બેઝિક નિયમોનું પાલન કરવાને લઈને આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને કોરોનાના નવા વેરીયન્ટની દહેશતને લઈને રાજ્ય સરકાર દ્વારા 32 હજાર સ્કૂલોમાં ગાઈડલાઈનનું પાલન કરવાને લઈને આગામી સમયમાં પરીપત્ર જારી કરાય તેવી શક્યતા છે ત્યારે એ પહેલા જ સુરતની અંદર કોરોનાને ધ્યાનમાં રાખીને કેટલાક નિયમોનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.

સાવચેતીના ભાગરુપે અત્યારથી જ શાળાઓમાં કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવું જરુરી હોવાથી આ આદેશ આપવામાં આવ્યો છે. સુરતની શાળાઓને કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવા સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાને પત્ર પાઠવી આદેશ કર્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. જે શાળાઓમાં આદેશ કરવામાં આવ્યો છે.

જેમાં ખાસ કરીને ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં બાળકો, બિનશૈક્ષણિક કર્મચારીઓ અને બિનશૈક્ષણિક સ્ટાફ વગેરેને તેનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે. શાળાઓમાં સેનિટાઈઝેશન કરવું, હાથ ધોવા, સોશિયલ ડીસન્ટન્સ જાળવવું વગેરેને લઈને સૂચનાઓ આપવામાં આવી છે. યોગ્ય રીતે માસ્ક પહેરવા પણ સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને કોરોનાની પ્રથમ લહેર બાદ ત્રીજી લહેર સુધી કોરોનાના કેસો સામે આવ્યા છે. શાળાઓમાં વિદ્યાર્થીઓ સંક્રમિત અગાઉ થયા હતા ત્યારે અત્યારથી જ શાળાઓ સતર્ક જોવા મળી રહી છે. કેટલીક શાળાઓમાં ખાસ કરીને અત્યારથી વિદ્યાર્થીઓ માસ્ક પહેરતા પણ નજરે પડી રહ્યા છે.

संबंधित पोस्ट

महाशिवरात्रि व्रत आज,इन शुभ मुहूर्त में करे पूजा, महादेव होंगे प्रसन्न

Admin

51 શક્તિપીઠ પરીક્રમાનો ચોથો દિવસ, ગૃહમંત્રી સંઘવી જોડાયા ત્રિશુલ યાત્રામાં

Admin

उज्जैन के महाकाम मंदीर में नए साल में लाखो श्रद्धालुकी भीड बढेगी

Admin

शहीद भगत सिंह नगर के जिले में एकमात्र आम आदमी क्लीनिक कस्बा राहों में जरूरत के अनुसार नहीं मिल रही हे दवाई

Admin

पोर्टल पर प्राप्त शिकायतों का शीघ्र करें निस्तारण-अपर उपायुक्त सरकार 25 दिसंबर तक सुशासन सप्ताह मना रही है

Admin

ब्रह्म कमल : ब्रह्म कमल के दर्शन मात्र से ही भाग्य खुल जाता है, यह साल में एक बार ही खिलता है

Admin