પાસપોર્ટના અરજદારો માટે ખુશીના સમાચાર: કાલ શનિવારે પણ રાજકોટની પાસપોર્ટ ઓફિસ રહેશે ચાલુ પાસપોર્ટ માટે અરજી કરનારની સંખ્યામાં વધારો થતાં પાસપોર્ટ ઓફિસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે પ્રમાણે શનિવાર હોવા છતાં કાલે રાજકોટ સહિત અમદાવાદ અને વડોદરાની પાસપોર્ટ ઓફિસ ચાલુ રહેશે. પાસપોર્ટના અરજીનો ભરાવો થયો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. તો હવે રાજકોટવાસીઓને પાસપોર્ટ માટે અરજી કરવી હોય તે કાલે પાસપોર્ટ ઓફિસ જઈ શકે છે તથા પાસપોર્ટ ઓફિસ જવા ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ શનિવાર માટે કરવી શકે છે. કાલ શનિવાર હોવા છતાં રાજકોટની પાસપોર્ટ ઓફિસ તત્કાલ તથા સામાન્ય પાસપોર્ટ માટે અરજી કરનાર માટે કાલ પાસપોર્ટ ઓફિસ ખુલી રહેશે. જે લોકો શનિવારની ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવા માંગે છે તે લોકો માટે શનીવારે પણ વેબસાઈટ પર એપોઈન્ટમેન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તત્કાલ તથા રેગ્યુલર એપોઈન્ટમેન્ટ વાળા લોકો માટે કાલ ૩ જી ડિસેમ્બર શનિવારે પાસપોર્ટ ઓફિસ ચાલુ રહેશે. તત્કાલ પાસપોર્ટ માટે અરજી કરનાર લોકોએ ૧૩ ડોક્યુમન્ટ માંથી ૩ ડોક્યુમેન્ટ લઈ આવવા ફરજિયાત છે તથા એક વખત એપોઈન્ટમેન્ટ મળ્યા બાદ તેમાં કોઈ પણ જાતની ફેરફાર થશે નહિ તાથા રિફન્ડ પણ મળશે નહિ.