Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

બળજબરીથી ધર્મ પરિવર્તન પર સુપ્રીમ કોર્ટ ગંભીર, કહ્યું- તેનાથી રાષ્ટ્રીય સુરક્ષા અને ધર્મની સ્વતંત્રતા પર થાય છે અસર

સુપ્રીમ કોર્ટે બળજબરીથી ધર્મ પરિવર્તન પર પ્રતિબંધની માંગ કરતી અરજી પર સુનાવણી કરી અને મહત્ત્વની ટિપ્પણી કરી છે. SCમાં જસ્ટિસ એમઆર શાહે કહ્યું કે આ ખૂબ જ ગંભીર મામલો છે. દરેકને ધર્મ પસંદ કરવાનો અધિકાર છે પરંતુ બળજબરીથી ધર્મ પરિવર્તનથી નહીં. આ ખૂબ જ ખતરનાક છે. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે આગામી સુનાવણી 28 નવેમ્બરે કરશે.

કોર્ટે કહ્યું કે સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ આ મામલે સરકારનું પ્રતિનિધિત્વ કરે. અમે આ અંગે તેમને સાંભળીશું. જસ્ટિસ એમઆર શાહે કહ્યું કે આ દેશની સુરક્ષા માટે પણ ગંભીર ખતરો છે. જો કોઈ સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કરે છે તો તેમાં કોઈ વાંધો નથી, પરંતુ જો તેઓ અન્ય કોઈ રીતે ધર્મ પરિવર્તન કરે છે તો કેન્દ્ર સરકારે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું પડશે.

સોલિસિટર જનરલે કહ્યું- અમે 21 નવેમ્બરે આ મામલે જવાબ દાખલ કરીશું

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે આ અંગે પગલાં ભરવા પડશે. તેના પર એસજીએ કહ્યું કે 21 નવેમ્બર સુધીમાં અમે આ અંગે જવાબ દાખલ કરીશું. કેન્દ્ર સરકારનું કહેવું હતું કે જેમને આનો શિકાર બનાવવામાં આવી રહ્યા છે, તેઓને ખુદને ખબર નથી કે મદદના નામે તેમની સાથે છેતરપિંડી થઈ રહી છે.

બળજબરીથી થતા ધર્મ પરિવર્તનને રોકવા કાયદો બનાવવાની માંગ

જણાવી દઈએ કે અરજીમાં કેન્દ્ર અને રાજ્યોને બળજબરીથી અથવા છેતરપિંડીથી થતા ધર્મ પરિવર્તનને રોકવા માટે કડક પગલા ભરવા માટે કાયદો બનાવવાની માંગ કરવામાં આવી છે. જસ્ટિસ શાહ અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચ આ અરજી પર સુનાવણી કરી રહી છે. અરજદાર અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે આ સમસ્યા આખા દેશમાં છે.

संबंधित पोस्ट

કોરોનાનો નવો વેરિએન્ટ: બાળકોમાં જોવા મળી રહ્યા છે આ લક્ષણો, ઇગ્નોર ના કરતા નહિં તો..

Karnavati 24 News

અમરનાથ યાત્રાના રૂટ પર એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, શ્રીચંદ ટોપમાં સુરક્ષાદળોનું ઓપરેશન ચાલુ

અમિત શાહનું રાજભવનમાં રાજ્યપાલે કર્યુ સ્વાગત, સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે

Karnavati 24 News

દિલ્હી AIIMSમાં શરુ થશે પેશન્ટ કેર ડેશબોર્ડ, દર્દીઓને સરળતાથી મળી શકશે આ મહત્ત્વપૂર્ણ માહિતી

Admin

PM મોદીએ આપ્યો સ્વચ્છતાનો સંદેશઃ દિલ્હીમાં પ્રગતિ મેદાન અંડરપાસનું કર્યું ઉદ્ઘાટન, સુરંગમાં પ્લાસ્ટિકની બોટલ જોઈ પોતે જ હટાવી દીધી

Karnavati 24 News

રશિયા-યુક્રેન યુદ્ધના અપડેટ્સ: રશિયાએ 1000 કિલોમીટરનું અંતર કાપ્યું છે. ધ્વનિ કરતા 9 ગણી ઝડપી ઝિર્કન મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે

Karnavati 24 News
Translate »