જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શુક્રવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. કાશ્મીર પોલીસ ઝોન અનુસાર, આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. જોકે ઓપરેશન હજુ ચાલુ છે. અનંતનાગના પહલગામ વિસ્તારના શ્રીચંદ ટોપ ફોરેસ્ટ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે સુરક્ષા દળોએ ત્યાં ઘેરાબંધી કરીને શોધખોળ શરૂ કરી હતી. ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું.
ઉલ્લેખનીય છે કે, આ વિસ્તાર અમરનાથ યાત્રા રૂટના પહેલગામને અડીને આવેલો છે. બે વર્ષ બાદ 30 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે.