Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ભાજપે આ 16 બેઠકો હજુ પણ નથી કરી જાહેર, 166ની થયો છે યાદીમાં સમાવેશ

મનોમંથન કરી ભાજપે 166 ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી છે. પ્રથમ તબક્કામાં 160 અને આજે બીજા તબક્કામાં 6 નામો જાહેર કરાયા છે. ત્યારે કેટલીક સીટોના નામો હજુ પણ બાકી છે. ત્રીજા તબક્કામાં ભાજપની બાકીની 16 બેઠકોના નામની જાહેરાત થવાની બાકી છે. જે 14 તારીખે પહેલા જાહેર કરવામાં આવશે ત્યાર પછી ઝંઝાવાતી પ્રચાર પર ભાજપ ફોકસ કરશે. પરંતુ આ નામો જાહેર ના કરવાના ઘણા કારણો છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ આ નામોની યાદી જાહેરા થશે.

ઉત્તર ગુજરાતમાં આ નામોની છે ચર્ચા  
ગાંધીનગર જિલ્લાની ચાર બેઠકોની જાહેરાત થવાની બાકી છે. ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોરના નામની ચર્ચાએ જોર પકડ્યું છે. રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકરના નામની જાહેરાત કરવામાં આવી નથી તે અંગે હજુ અટકળો ચાલી રહી છે. કલોલ પરથી કે રાધનપુરમાંથી કે ગાંધીનગરથી ટિકિટ આપવી તેને લઈને અસમંજસ છે. ગાંધીનગર ઉત્તર બેઠક પર પૂર્વ મેયર રીટા પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે. કલોલ બેઠક પર ઠાકોર સમાજને ટિકિટ આપવાની ચર્ચા છે.

કલોલમાં ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ બળદેવજી ઠાકોરનું નામ ચર્ચાઈ રહ્યું છે. માણસા બેઠકની વાત કરીએ તો આ સમયે અમિત ચૌધરીનું નામ ચર્ચાઈ રહ્યું છે. મહેમદાવાદ પર મંત્રી અર્જુનસિંહ ચૌહાણના નામની અટકળો ચાલી રહી છે સાથે જ મહેમદાવાદ બેઠકમાં ફેરફારને લઈને સંગઠનમાં પણ અટકળો ચાલી રહી છે. પાટણ બેઠક માટે કોઈ પટેલ દાવેદાર અને અને રણછોડ રબારીની પ્રબળ દાવેદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બાકીના 16 ઉમેદવારોના નામ આવતીકાલ સુધીમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

આ 16 છે બેઠકો બાકી 

1. રાધનપુર
2. પાટણ
3. ખેરાલુ
4. હિંમતનગર
5. ગાંધીનગર ઉત્તર
6. ગાંધીનગર દક્ષિણ
7. માણસા
8. કલોલ
9. વટવા
10. પેટલાદ
11. મહેમદાબાદ
12. ઝાલોદ
13. ગરબાડા
14 સયાજીગંજ
15. માંજલપુર
16 પાવી જેતપુર

संबंधित पोस्ट

 ઓમિક્રૉનના કેસ વધવાની સાથે સારા સમાચાર, દેશને 2 નવી વેક્સીન મળી

Karnavati 24 News

પેટા ચૂંટણીમાં ભાજપના સૂપડા સાફ: બંગાળમાં TMCના શત્રુઘ્ન-સુપ્રીયો જીત્યા, બિહારમાં RJDની જીત

Karnavati 24 News

13 શહેર અને જિલ્લાની 47 બેઠકો માટે કોની પસંદગી કરવી તેના પર ભાજપનું આજે મંથન

Admin

ભારત જોડો યાત્રા : 37માં દિવસે કર્ણાટકના રામપુરાથી શરૂ થઈ યાત્રા

Admin

શિવસેના જ નહીં પણ દેશનું લોકતંત્રનું ભવિષ્ય પણ દાવ પર : ઉદ્ધવ ઠાકરે

Admin

પેપર લીક મામલે કમલમમાં વિરોધ કરતા આમ આદમી પાર્ટીના નેતાઓને મળ્યા જામીન

Karnavati 24 News