Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ભાજપે આ 16 બેઠકો હજુ પણ નથી કરી જાહેર, 166ની થયો છે યાદીમાં સમાવેશ

મનોમંથન કરી ભાજપે 166 ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી છે. પ્રથમ તબક્કામાં 160 અને આજે બીજા તબક્કામાં 6 નામો જાહેર કરાયા છે. ત્યારે કેટલીક સીટોના નામો હજુ પણ બાકી છે. ત્રીજા તબક્કામાં ભાજપની બાકીની 16 બેઠકોના નામની જાહેરાત થવાની બાકી છે. જે 14 તારીખે પહેલા જાહેર કરવામાં આવશે ત્યાર પછી ઝંઝાવાતી પ્રચાર પર ભાજપ ફોકસ કરશે. પરંતુ આ નામો જાહેર ના કરવાના ઘણા કારણો છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ આ નામોની યાદી જાહેરા થશે.

ઉત્તર ગુજરાતમાં આ નામોની છે ચર્ચા  
ગાંધીનગર જિલ્લાની ચાર બેઠકોની જાહેરાત થવાની બાકી છે. ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોરના નામની ચર્ચાએ જોર પકડ્યું છે. રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકરના નામની જાહેરાત કરવામાં આવી નથી તે અંગે હજુ અટકળો ચાલી રહી છે. કલોલ પરથી કે રાધનપુરમાંથી કે ગાંધીનગરથી ટિકિટ આપવી તેને લઈને અસમંજસ છે. ગાંધીનગર ઉત્તર બેઠક પર પૂર્વ મેયર રીટા પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે. કલોલ બેઠક પર ઠાકોર સમાજને ટિકિટ આપવાની ચર્ચા છે.

કલોલમાં ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ બળદેવજી ઠાકોરનું નામ ચર્ચાઈ રહ્યું છે. માણસા બેઠકની વાત કરીએ તો આ સમયે અમિત ચૌધરીનું નામ ચર્ચાઈ રહ્યું છે. મહેમદાવાદ પર મંત્રી અર્જુનસિંહ ચૌહાણના નામની અટકળો ચાલી રહી છે સાથે જ મહેમદાવાદ બેઠકમાં ફેરફારને લઈને સંગઠનમાં પણ અટકળો ચાલી રહી છે. પાટણ બેઠક માટે કોઈ પટેલ દાવેદાર અને અને રણછોડ રબારીની પ્રબળ દાવેદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બાકીના 16 ઉમેદવારોના નામ આવતીકાલ સુધીમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

આ 16 છે બેઠકો બાકી 

1. રાધનપુર
2. પાટણ
3. ખેરાલુ
4. હિંમતનગર
5. ગાંધીનગર ઉત્તર
6. ગાંધીનગર દક્ષિણ
7. માણસા
8. કલોલ
9. વટવા
10. પેટલાદ
11. મહેમદાબાદ
12. ઝાલોદ
13. ગરબાડા
14 સયાજીગંજ
15. માંજલપુર
16 પાવી જેતપુર

संबंधित पोस्ट

વેરાવળ પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારોટે દિનદયાળ ઉપાધ્યાયની પૃણ્યતિથિ પર વંદન કર્યા

Karnavati 24 News

શિવસેનાએ સામનામાં લખ્યું, ‘મહારાષ્ટ્રમાં નવી સરકાર સ્વપ્ન સમાન છે, સમયસર સાવચેત રહો’

Karnavati 24 News

સીએમ ગેહલોતના ભાઈ પર બે વર્ષમાં બીજો દરોડોઃ અગ્રસેન ગેહલોત પર સીબીઆઈના દરોડા, 2020માં EDએ પણ કાર્યવાહી કરી

Karnavati 24 News

હાર્દિકે કોંગ્રેસ છોડી દીધીઃ સોનિયાને પત્ર લખ્યો

Karnavati 24 News

‘દેશના હિતમાં સ્થગિત કરી દો ભારત જોડો યાત્રા’: કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર

Admin

ગુજરાત પોલીસ મહાઆંદોલનના પ્રણેતા નરેન્દ્રસિંહ પરમાર અને આંદોલનકારી રાહુલ રાવલ આપમાં જોડાયા

Karnavati 24 News
Translate »