Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

જુનાગઢ માં વડાપ્રધાના કાર્યક્રમમાં રોશની માટે મનપાએ 15 લાખ ખર્ચા

જૂનાગઢમાં વડાપ્રધાન ની સભા થઈ હતી જેના માટે કોર્પોરેશને 15,00,000 નો ખર્ચ દર્શાવ્યો હોય તેની સામે કોંગ્રેસી કોર્પોરેટરે વિરોધ વ્યક્ત કર્યો છે તેમણે આ ખર્ચમાં યોગ્ય તપાસ કરી બાદમાં જ બિલ ચૂકવવા માંગ કરી છે આ અંગે વોર્ડ નંબર 4ના કોંગ્રેસી કોર્પોરેટર મંજુલાબેન પણસારાએ મનપાના કમિશનરને પત્ર પાઠવ્યો છે પત્રમાં જણાવ્યું છે કે 19 ઓક્ટોબર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૂનાગઢમાં સભા યોજાઈ હતી આ સભાને લઈ મનપાની બિલ્ડીંગ તેમજ શહેરના સર્કલોને રોશની થી શણગારાયા હતા તેમજ શહેરના મુખ્ય માર્ગો ઉપર સ્વાગત અન્વયે મનપાના પદાધિકારીઓના ફોટા સાથેના હોડિગસ બોર્ડ લગાવાયા હતા આ પ્રચાર પ્રસાર પાછળ રૂપિયા 15,00,000 નો ખર્ચ ગણાય છે જેનો સ્થાયી સમિતિમાં પરિપત્ર નંબર 12 આઈટમ નંબર 1થી રજુ કરાયો છે ત્યારે પક્ષના કાર્યક્રમ માટેનો ખર્ચ પ્રજાના નાણાંમાંથી કઈ રીતે ચૂકવી શકાય? ત્યારે આ ખર્ચના ચુકાદા માટે ખાસ સમિતિની રચના કરી આખરે થયેલ ખર્ચની રકમ જ ચૂકવવામાં આવે અને એ રીતે પ્રજાના પૈસે પક્ષ માટે થતાં તાયફા બંધ કરવામાં આવે તેવી મંજુલાબેન પણસારાએ માંગ કરી છે

संबंधित पोस्ट

સુરત: શ્વાનના વધતા આતંક બાદ હવે તંત્ર સફાળું જાગ્યું! મેયરે બેઠક બોલાવી એક્શન પ્લાન તૈયાર કરવા આદેશ કર્યો

Admin

પહેલા લોકોને તાજમહેલની ખબર હતી હવે પંચમહાલ વિશે પણ ખબર પડે છે – નરેન્દ્ર મોદી

Admin

પોરબંદરના શૂટર્સની સિઘ્ધિ: પિસ્તોલ અને રાયફલ શૂટીંગમાં મેળવ્યાં ગોલ્ડ અને બ્રોન્ઝ

Karnavati 24 News

વડોદરા-સોખડા હરિધામ મંદિરની સત્તા અને ગાદીનો વિવાદ, હાલ પૂરતું પ્રબોધ સ્વામી જૂથ મિલકતમાંથી બહાર નહીં

Admin

ભરૂચ જિલ્લા ની પાંચ વિધાનસભા બેઠકો પર ભાજપ દ્વારા સેન્સ લેવાની પક્રિયા શરૂ કરાઇ

Admin

ગાંધીનગર: મહિલાઓને હથિયાર આપવાના મુદ્દા બાદ ગેનીબેન ઠાકોરે ગૃહમાં ઉઠાવ્યો આ મુદ્દો, જાણો શું કહ્યું?

Karnavati 24 News