Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

જુનાગઢ માં વડાપ્રધાના કાર્યક્રમમાં રોશની માટે મનપાએ 15 લાખ ખર્ચા

જૂનાગઢમાં વડાપ્રધાન ની સભા થઈ હતી જેના માટે કોર્પોરેશને 15,00,000 નો ખર્ચ દર્શાવ્યો હોય તેની સામે કોંગ્રેસી કોર્પોરેટરે વિરોધ વ્યક્ત કર્યો છે તેમણે આ ખર્ચમાં યોગ્ય તપાસ કરી બાદમાં જ બિલ ચૂકવવા માંગ કરી છે આ અંગે વોર્ડ નંબર 4ના કોંગ્રેસી કોર્પોરેટર મંજુલાબેન પણસારાએ મનપાના કમિશનરને પત્ર પાઠવ્યો છે પત્રમાં જણાવ્યું છે કે 19 ઓક્ટોબર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૂનાગઢમાં સભા યોજાઈ હતી આ સભાને લઈ મનપાની બિલ્ડીંગ તેમજ શહેરના સર્કલોને રોશની થી શણગારાયા હતા તેમજ શહેરના મુખ્ય માર્ગો ઉપર સ્વાગત અન્વયે મનપાના પદાધિકારીઓના ફોટા સાથેના હોડિગસ બોર્ડ લગાવાયા હતા આ પ્રચાર પ્રસાર પાછળ રૂપિયા 15,00,000 નો ખર્ચ ગણાય છે જેનો સ્થાયી સમિતિમાં પરિપત્ર નંબર 12 આઈટમ નંબર 1થી રજુ કરાયો છે ત્યારે પક્ષના કાર્યક્રમ માટેનો ખર્ચ પ્રજાના નાણાંમાંથી કઈ રીતે ચૂકવી શકાય? ત્યારે આ ખર્ચના ચુકાદા માટે ખાસ સમિતિની રચના કરી આખરે થયેલ ખર્ચની રકમ જ ચૂકવવામાં આવે અને એ રીતે પ્રજાના પૈસે પક્ષ માટે થતાં તાયફા બંધ કરવામાં આવે તેવી મંજુલાબેન પણસારાએ માંગ કરી છે

संबंधित पोस्ट

સફેદ રણ ખાતે સંગીત, સાહિત્ય અને સંસ્કૃતિના સંગમ સમો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળતા રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુજી

Gujarat Desk

વન્યજીવોની દેખરેખ અને સલામતી માટે અત્યાધુનિક સર્વેલન્સ અને સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત

Gujarat Desk

પોસ્ટ વિભાગ દ્વારા ‘નારી શક્તિ સપ્તાહ’ (3-8 માર્ચ)નું આયોજન, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે કર્યો શુભારંભ

Gujarat Desk

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-848ને વધુ વિકસાવવા 825.72 કરોડના ભંડોળના પેકેજ આપવાની જાહેરાત

Gujarat Desk

સામખિયાળી-માળિયા હાઇવે પાસે અકસ્માતની ઘટનામાં એક સાથે 7 વાહનો ટકરાયા અને વડોદરા માં વિદ્યાર્થી ને અકસ્માત નડ્યો

Gujarat Desk

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ આદર્શ આચારસંહિતા અમલી બની .

Admin
Translate »