Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

જેના દ્વારા દિલના દ્વાર ખુલે તેને દિવાળી કહેવામાં આવે છે

ગિરનાર તીર્થ ની ગોદમાં આવેલ ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય હેમવલ્લભસુરિજી મહારાજની નિશ્રામાં ચતુર્માસની ઉજવણી કરાઈ રહી છે દરમિયાન પદ્મદર્શન વિજયજી મહારાજે કહ્યું હતું કે દિવાળીના દિવસોમાં માત્ર ઘરની સાફ સફાઈ જ કરવાની નથી પણ હૃદયની અંદર રહેલી શ્યામલતાને દૂર કરી શુકલતા ને પ્રાપ્ત કરવાની છે દિવાળી સમયની ઉજવણી પર્વ છે વર્ષ દરમિયાન થયેલી ઉપલબ્ધિઓની ઉજવણીનો આ તહેવાર છે ભારતીય સંસ્કૃતિમાં દિવાળી પર્વ નું મહત્વ અદકેરું છે કેલેન્ડરના ડટ્ટાનું અંતિમ પાનું આજે છે આવતીકાલે એ પણ ખરી જશે જીવનના વર્ષો અને અંતિમ શ્વાસ નીકળી જશે સતકર્મોની પ્રેરણા આપતું પર્વ એટલે દિવાળી સાચી દિવાળીની ઉજવણી અનાથઆશ્રમમાં અશક્તઆશ્રમો અંધજનોના આશ્રમોમાં અને પીડિતોની વહારે જઈને એના મોઢા મીઠા કરાવી થઈ શકે છે દિવાળીના દિવસે પ્રભુ મહાવીર દેવનું નિર્માણ થયું હતું પ્રભુનું નિર્માણ પ્રભુ માટે મુક્તિ છે માટે સારું કહેવાય પણ આપણા હૈયામાંથી પ્રભુનું નિર્માણ ના થવું જોઈએ જૈન માટે આજનો દિવસ આઘાત અને શોકનો દિવસ છે દિનદુખિયા અને જરૂરતમંદોની આતરડી ઠારવી તે દિવાળીની ઉજવણી છે

संबंधित पोस्ट

બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે ગેરકાયદેસર ધાર્મિક દબાણોને વકફ બોર્ડની મિલકત હોવાનો ખોટો દાવો કરતી પીટીશન નામદાર હાઇકોર્ટે ફગાવી

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજીમાં આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો

Gujarat Desk

વોટર શેડ ડેવલોપમેન્ટ ઘટક 2.0 ભારત સરકાર દ્વારા કુલ 2.92 લાખ હેક્ટર વિસ્તાર માટે રૂ. 687.81 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા

Gujarat Desk

ઉકાઇ ખાતે ઊભા કરાયેલા રૂ. ૧૦.૪૭ કરોડના અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આજે ઇ-લોકાર્પણ કરશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

Gujarat Desk

રાજ્યમાં હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત ૨૦૭ જળાશયોમાં ૫૭ ટકાથી વધુ જળ સંગ્રહ : જળ સંપત્તિ મંત્રીશ્રી કુંવરજી બાવળીયા

Gujarat Desk

આગામી ૧૦૦ કલાકમાં રાજ્યભરના અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયનો આદેશ

Gujarat Desk
Translate »