ગિરનાર તીર્થ ની ગોદમાં આવેલ ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય હેમવલ્લભસુરિજી મહારાજની નિશ્રામાં ચતુર્માસની ઉજવણી કરાઈ રહી છે દરમિયાન પદ્મદર્શન વિજયજી મહારાજે કહ્યું હતું કે દિવાળીના દિવસોમાં માત્ર ઘરની સાફ સફાઈ જ કરવાની નથી પણ હૃદયની અંદર રહેલી શ્યામલતાને દૂર કરી શુકલતા ને પ્રાપ્ત કરવાની છે દિવાળી સમયની ઉજવણી પર્વ છે વર્ષ દરમિયાન થયેલી ઉપલબ્ધિઓની ઉજવણીનો આ તહેવાર છે ભારતીય સંસ્કૃતિમાં દિવાળી પર્વ નું મહત્વ અદકેરું છે કેલેન્ડરના ડટ્ટાનું અંતિમ પાનું આજે છે આવતીકાલે એ પણ ખરી જશે જીવનના વર્ષો અને અંતિમ શ્વાસ નીકળી જશે સતકર્મોની પ્રેરણા આપતું પર્વ એટલે દિવાળી સાચી દિવાળીની ઉજવણી અનાથઆશ્રમમાં અશક્તઆશ્રમો અંધજનોના આશ્રમોમાં અને પીડિતોની વહારે જઈને એના મોઢા મીઠા કરાવી થઈ શકે છે દિવાળીના દિવસે પ્રભુ મહાવીર દેવનું નિર્માણ થયું હતું પ્રભુનું નિર્માણ પ્રભુ માટે મુક્તિ છે માટે સારું કહેવાય પણ આપણા હૈયામાંથી પ્રભુનું નિર્માણ ના થવું જોઈએ જૈન માટે આજનો દિવસ આઘાત અને શોકનો દિવસ છે દિનદુખિયા અને જરૂરતમંદોની આતરડી ઠારવી તે દિવાળીની ઉજવણી છે
