Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

વિદેશ મંત્રી જયશંકરે કાહીરા પાર્કમાં બાપુને આપી શ્રદ્ધાંજલિ, કહી આ વાત

વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે કાહીરા એક પ્રખ્યાત પાર્કમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ઇજિપ્તની રાજધાનીમાં કહ્યું કે, મહાત્મા ગાંધીનો સંદેશ વિશ્વને બધા માટે ન્યાય અને સમાનતા માટે પ્રયત્ન કરવા માટે પ્રેરણા આપતો રહેશે. જયશંકર તેમના ઇજિપ્તના સમકક્ષ સમેહ હસન શૌકીના આમંત્રણ પર બે દિવસની ઇજિપ્તની મુલાકાતે છે.

જયશંકરે ટ્વીટ કર્યું કે, તેમણે કૈરોના પ્રખ્યાત અલ હોરેયા પાર્કમાં બાપુને શ્રદ્ધાંજલિ આપીને દિવસની શરૂઆત કરી, જે આઝાદીના ઉદ્દેશ્ય સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. તેમનો સંદેશ બધા માટે ન્યાય અને સમાનતા માટે પ્રયત્ન કરવા માટે વિશ્વને પ્રેરણા આપતો રહે.

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે 2019માં અલ હોરેયા પાર્ક ખાતે તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. અલ હોરેયા પાર્કમાં ઇજિપ્તના ઇતિહાસમાં મહત્વની વ્યક્તિઓના શિલ્પો છે જેમણે દેશમાં નોંધપાત્ર અને સકારાત્મક ફેરફારો કર્યા અને તેના લોકોની સ્વતંત્રતામાં મદદ કરી.

વિદેશ મંત્રી જયશંકરે હેલીયોપોલિસ કોમનવેલ્થ વોર ગ્રેવ સેમેટ્રીની મુલાકાત લીધી અને ઈજીપ્ત અને પેલેસ્ટાઈનમાં પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન પોતાનો જીવ આપનાર ભારતીય સૈનિકોને યાદ કર્યા. કેટલીક તસવીરો શેર કરતા જયશંકરે ટ્વીટ કર્યું કે, ભારતીયોએ માનવતાની સેવામાં સમગ્ર વિશ્વમાં બલિદાન આપ્યા છે. તેઓ અમને પ્રેરણા આપે છે કારણ કે, અમે વધુ સમકાલીન અને સમાન વૈશ્વિક વ્યવસ્થા બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. હેલીઓપોલિસ યુદ્ધ કબ્રસ્તાનમાં હેલીઓપોલિસ (પોર્ટ ટ્વીફ) સ્મારક અને હેલીઓપોલિસ (એડન) સ્મારકનો સમાવેશ થાય છે.

હેલીઓપોલિસ (પોર્ટ ટ્વીફીક) સ્મારકએ 4,000 લોકોની યાદમાં છે જેમણે ઇજિપ્ત અને પેલેસ્ટાઇનમાં પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ ભારતીય સેનામાં સેવા આપી હતી અને મૃત્યુ પામ્યા હતા અને તેમની કોઈ જાણીતી કબરો નથી. હેલીઓપોલિસ (એડન) સ્મારક કોમનવેલ્થ દળોના 600 થી વધુ સૈનિકોનું સ્મરણ કરે છે જેઓ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન એડનના સંરક્ષણમાં મૃત્યુ પામ્યા હતા અને જેમની કોઈ કબરો નથી.

संबंधित पोस्ट

Tata Institute Of Social Sciences में पार्ट टाइम जॉब के पदों पर निकली भर्तियां

Karnavati 24 News

રાજકોટ એસ.ટી તંત્રને રક્ષાબંધનો પર્વ ફળ્યો, 58 લાખની અવાક થઇ

Karnavati 24 News

फरीदाबाद: चहुमुखी विकास से औद्योगिक नगरी का लहराएगा विश्व में परचम: कृष्ण पाल गुर्जर

Admin

 અવડી લતે ચડેલા પુત્રને સુધારવા, પિતાએ ધાર્મીકતાનો સહારો લેતા રૂ. 17.20 લાખ ગુમાવ્યાં

Karnavati 24 News

વાપી પાલિકામાં દર ગુરુવારે વિકાસલક્ષી કામોની રિવ્યુ બેઠક મળશે

Karnavati 24 News

મુસ્લિમ માતાની સંપત્તિ પર હિંદુ સંતાનનો અધિકાર નહીં, કોર્ટે વારસાના કેસમાં આપ્યો ચૂકાદો

Admin