બેઠકમાં ઉંમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરના જીઆઇડીસી વાપી ખાતે કરેલ સંપાદનમાં ગયેલ પ્લોટવાળી જમીનનું વળતર ન મળવા બાબતના પ્રશ્નમાં વલસાડ પ્રાંત અધિકારીએ વાપી તાલુકાના વાપી ગામે જીઆઇડીસી માટે સંપાદન થયેલ જમીન નેશનલ હાઇવે ને ચાર માર્ગીય કરવા માટે જરૂરિયાત જણાંતા સરકારશ્રીને આ જમીન બાબતે દરખાસ્ત કરતાં જીઆઇડીસી વાપી તરફથી આ જમીન તબદીલ કરવામાં આવેલ છે એમ જણાવેલ છે. નેશનલ હાઇવે ઓથોરીટી અને જીઆઇડીસી વાપીને આ જમીનની કિંમત બાબતે નિકાલ કરવા માટે જણાવેલ છે જેની કિંમત બાબતે નિર્ણય આવ્યા બાદ સરકારશ્રીમાં દરખાસ્ત કરી વળતરની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે ધારાસભ્યના પાટકરના તુંબ ૭૦ નંબરના ફાટક થઇ રેલવે બોર્ડરથી તુંબ બેલુંદપાડાનો રસ્તો રીપેર કરવા બાબતે જિલ્લા કલેકટરે આ બાબતે એરીયા મેનેજર વેર્સ્ટન રેલવેને રીપેર કરવા માટે જણાવેલ છે. ઉમરગામ તાલુકાની કેટલી પ્રાથમિક શાળાઓના ઓરડાઓ જર્જરિત હોવાના કારણે બંધ કરવામાં આવ્યા છે અને આ બંધ થયેલા ઓરડાઓ નવા બનાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ એ બાબતના ધારાસભ્ય પાટકરના સવાલ બાબતે જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ જિલ્લા પંચાયત દ્વારા ૧૦ ઓરડાઓ અને ૧૪૫ આોરડાઓની રાજય સરકાર દ્વારા વહીવટી મંજૂરી મળેલ છે અને જિલ્લા પંચાયતના ઓરડાઓ નવા બાબતે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને રાજય સરકાર તરફથી જેમ ટેન્ડરો મંજૂર થશે તેમ કાર્યવાહી ર્તુત જ કરવામાં આવશે એમ જણાવ્યું હતું. ભાગ-૨ માં જિલ્લા કલેકટરે નિવૃત થયેલા તથા અવસાન પામેલા કર્મચારીઓના પેન્શન કેસો, આગામી ૨૪ માસમાં નિવૃત થનાર કર્મચારીઓના પેન્શન કેસો, ખાતાકીય તપાસના કેસો, માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ આવતી અરજીઓના નિકાલ બાબતે જરૂરી સમીક્ષા કરી હતી. આ બેઠકમાં વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિહ ઝાલા, નિવાસી અધિક કલેકટર અનસૂયા આર.ઝા, પ્રાયોજના વહીવટદાર એ. કે. કલસરિયા, વલસાડ, પારડી, ધરમપુરના પ્રાંત અધિકારીઓ નીલેશ કુકડીયા, ડી. જે. વસાવા, કેતુલ ઇટાલીયા, સામાજિક વનીકરણના નાયબ વનસંરક્ષક યદુ ભારદ્વાજ, ઉત્તર વન વિભાગના નાયબ વનસંરક્ષક નીશા રાજ, તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.