Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

બેઠકમાં ઉંમરગામના ધારાસભ્‍ય રમણલાલ પાટકરના જીઆઇડીસી વાપી ખાતે કરેલ સંપાદનમાં ગયેલ પ્‍લોટવાળી જમીનનું વળતર ન મળવા બાબતના પ્રશ્નમાં વલસાડ પ્રાંત અધિકારીએ વાપી તાલુકાના વાપી ગામે જીઆઇડીસી માટે સંપાદન થયેલ જમીન નેશનલ હાઇવે ને ચાર માર્ગીય કરવા માટે જરૂરિયાત જણાંતા સરકારશ્રીને આ જમીન બાબતે દરખાસ્‍ત કરતાં જીઆઇડીસી વાપી તરફથી આ જમીન તબદીલ કરવામાં આવેલ છે એમ જણાવેલ છે. નેશનલ હાઇવે ઓથોરીટી અને જીઆઇડીસી વાપીને આ જમીનની કિંમત બાબતે નિકાલ કરવા માટે જણાવેલ છે જેની કિંમત બાબતે નિર્ણય આવ્‍યા બાદ સરકારશ્રીમાં દરખાસ્‍ત કરી વળતરની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે ધારાસભ્‍યના પાટકરના તુંબ ૭૦ નંબરના ફાટક થઇ રેલવે બોર્ડરથી તુંબ બેલુંદપાડાનો રસ્‍તો રીપેર કરવા બાબતે જિલ્લા કલેકટરે આ બાબતે એરીયા મેનેજર વેર્સ્‍ટન રેલવેને રીપેર કરવા માટે જણાવેલ છે. ઉમરગામ તાલુકાની કેટલી પ્રાથમિક શાળાઓના ઓરડાઓ જર્જરિત હોવાના કારણે બંધ કરવામાં આવ્‍યા છે અને આ બંધ થયેલા ઓરડાઓ નવા બનાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ એ બાબતના ધારાસભ્‍ય પાટકરના સવાલ બાબતે જિલ્‍લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ જિલ્‍લા પંચાયત દ્વારા ૧૦ ઓરડાઓ અને ૧૪૫ આોરડાઓની રાજય સરકાર દ્વારા વહીવટી મંજૂરી મળેલ છે અને જિલ્‍લા પંચાયતના ઓરડાઓ નવા બાબતે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને રાજય સરકાર તરફથી જેમ ટેન્‍ડરો મંજૂર થશે તેમ કાર્યવાહી ર્તુત જ કરવામાં આવશે એમ જણાવ્‍યું હતું. ભાગ-૨ માં જિલ્‍લા કલેકટરે નિવૃત થયેલા તથા અવસાન પામેલા કર્મચારીઓના પેન્‍શન કેસો, આગામી ૨૪ માસમાં નિવૃત થનાર કર્મચારીઓના પેન્‍શન કેસો, ખાતાકીય તપાસના કેસો, માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ આવતી અરજીઓના નિકાલ બાબતે જરૂરી સમીક્ષા કરી હતી. આ બેઠકમાં વલસાડ જિલ્‍લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, જિલ્‍લા પોલીસ અધિક્ષક રાજદીપસિહ ઝાલા, નિવાસી અધિક કલેકટર અનસૂયા આર.ઝા, પ્રાયોજના વહીવટદાર એ. કે. કલસરિયા, વલસાડ, પારડી, ધરમપુરના પ્રાંત અધિકારીઓ નીલેશ કુકડીયા, ડી. જે. વસાવા, કેતુલ ઇટાલીયા, સામાજિક વનીકરણના નાયબ વનસંરક્ષક યદુ ભારદ્વાજ, ઉત્તર વન વિભાગના નાયબ વનસંરક્ષક નીશા રાજ, તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

संबंधित पोस्ट

અરુણાચલ પ્રદેશ: સીએમ પેમા ખાંડુના ભાઈનું નિધન, બીજેપી ધારાસભ્ય હતા જંબે તાશી

Admin

વિશ્વાસ પ્રોજેક્ટની મદદથી અત્યાર સુધીમાં 3,400થી વધુ ગુનાખોરીના કેસ સરળતાથી ઉકેલાયા – સી.એમ.

Karnavati 24 News

Gold Rate on 30 July: सोने की कीमतों में बढ़त, चांदी में आई जबरदस्त गिरावट, जानिए भाव

Admin

વડાપ્રધાનના હસ્તે અડાલજ ખાતે અન્નપૂર્ણા ધામમાં બનાવવામાં આવેલ હોસ્ટિપલ અને છાત્રાલયનું ઉદઘાટન કરાશે

Karnavati 24 News

મેઘાલય પછી, ત્રિપુરામાં પણ એકલા ચલો રેની રણનીતિ પર ભાજપ

Admin

3જીએ જિલ્લા ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ સી આર પાટીલ રહેશે હાજર કમલમનડિયાદમાં તબક્કાવાર બેઠકો સંપન્ન

Karnavati 24 News
Translate »