આજે અડાલજ ખાતે અન્નપૂર્ણા ધામ કે જ્યાં ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રોગ્રામની અંદર વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે.
લેઉવા પાટીદારના આરાધ્ય કુળદેવી માં અન્નપુર્ણામાં અને અગાઉ જેમની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાનના હસ્તે થઈ હતી. તેમને અગાઉ ખાતમુહુર્ત કર્યું હતું અને તેમના હાશે વર્ચ્યુઅલ આજે લોકાર્પણ કરાશે. અન્નપુર્ણા કુમાર છાત્રાલય સંકુલનું ઉદઘાટન પણ તેમના હસ્તે કરવામાં આવશે.
હોસ્પિટલનું ઉદઘાટન પણ તેમના હસ્તે આજે કરવામાં આવશે, તમામ સુવિધા આ હોસ્પિટલની અંદર ગરીબ અને મધ્યમ વર્ગ દ્વારા અપાશે. જે ટ્રસ્ટ સંચાલિત રહેશે. 50 લાખનો ખર્ચ કરી મફત સારવાર આપવામાં આવશે.
અહીં અન્નપૂર્ણા ધામ પણ બનાવવામાં આવ્યું છે. આ પ્રાેગ્રામની અંદર સીએમ, સીઆર પાટીલ, નરહરી અમિનની વિશેષ ઉપસ્થિતિ રહ્યા છે.
50 કરોડના ખર્ચે ડે કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે જેની વિશેષતા એ છે કે, હોસ્પિટલમાં જે સુવિધા હોય છે એજ પ્રકારની સુવિધા અહીં આપવામાં આવી છે.
45 કરોડના ખર્ચે અહીં ભોજનાલય પણ બનાવવામાં આવ્યું છે. 500 લોકો ભેગા થઈ અેક સાથે જમી શકે તે પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 600 સ્ટુડન્ટસને રહેવાની સગવડ પણ કરવામાં આવી છે.