Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

આજે કરો યા મરો નો મુકાબલો,ભારત Vs શ્રીલંકા સાંજે 7.30 વાગે,ભારત આજના મુકાબલામાં ફેવરિટ

પાકિસ્તાન સામેની હાર બાદ ભારતીય ટીમને એશિયા કપમાં કાયમ રહેવા માટે દરેક મુકાબલો કરો યા મરો નો હશે. એક હાર તેને ફાઇનલની રેસમાથી બહાર કરી શકે છે. સાત બાર ની વિજેતા ટીમ જ્યારે મંગળવારે સુપર ફોર મુકાબલામાં શ્રીલંકા સામે ઉતરશે. આજે બોલરો પાસે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પર નજર રહશે. હવે ભારત માટે ટૂર્નામેન્ટમાં કાયમ રહેવા માટે વધુ પ્રયોગની કરવાની તક પણ નથી રહી.આજનો મુકાબલો ભારત માટે ખૂબ મહત્વનો છે.કરો યા મરો જેવી સ્થિતિ. ઇજાગ્રસ્ત રવિંદ્ર જાડેજા, હર્ષલ પટેલ, અને જસપ્રીત બુમરાહની ગેર હાજરીમાં ભારત પાસે બોલરોનો વધુ વિકલ્પ પણ નથી રહ્યા.તેવામાં આજે સૌની નજર બોલરો પર રહેશે. એક તરફ છેલ્લી મેચમાં પાકિસ્તાન સામે કેચ છોડનાર અર્શદીપ આજે પ્લેયઇંગ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવશે કે નહીં તે પણ જોવાનું રહ્યું.પાકિસ્તાન સામેની હાર બાદ ટિમ ઇન્ડિયા આજે શ્રીલંકા સામે મેદાનમાં ઉતરશે.એશિયા કપમાં શ્રીલંકા એટલું ફોમ માં દેખાઈ રહ્યું નથી.લાસ્ટ મેચમાં શ્રીલંકા સારું પ્રદશન કરી ફૉમ માં આવ્યું તો છે પણ ભારત સામે તેનું ટકવું મુશ્કેલ દેખાઈ રહ્યો છે.આજની મેચમાં ભારત શ્રીલંકા પર ભારી પડશે તેવું ચોક્કસ થી દેખાઈ રહ્યું છે

संबंधित पोस्ट

અમદાવાદમાં 29મી સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સ શરૂ થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે

Karnavati 24 News

મયંક અગ્રવાલ: ઓપનિંગ બાદ મિડલ ઓર્ડરમાં પણ નિષ્ફળ, ખાતું ખોલાવ્યા વિના બીજા બોલ પર બોલ્ડ થયો

Karnavati 24 News

ઝારખંડ ક્રિકેટ માટે ખરાબ સમાચાર, JSCAના પૂર્વ અધ્યક્ષ અમિતાભ ચૌધરીનું નિધન

Karnavati 24 News

ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મેળવનારા 5 લાયક ખેલાડીઓ : સેમસન-ધવનના IPLમાં 400+ રન, નટરાજનની 18 વિકેટ પણ કામમાં આવી નહીં

Karnavati 24 News

બેયરસ્ટો-ઓવરટને 62 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યોઃ બંનેએ ઈંગ્લેન્ડ માટે 7મી વિકેટ માટે કરી સૌથી મોટી ભાગીદારી, ટીમનો સ્કોર 264/6 હતો

Karnavati 24 News

ગૌતમ ગંભીર T20 વર્લ્ડ કપ 2022 માટે ટીમ ઈન્ડિયામાં દિનેશ કાર્તિકને ફિટ નથી માનતા, કારણ પણ જણાવ્યું

Karnavati 24 News