Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

IND vs SA: શું વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા સામેની કેપટાઉન ટેસ્ટમાં રમશે? કોચ રાહુલ દ્રવિડે આપ્યું મોટું અપડેટ

મુખ્ય કોચ રાહુલ દ્રવિડે (Rahul Dravid) વિરાટ કોહલી (Virat Kohli) ટેસ્ટ શ્રેણીના અંતિમ અને નિર્ણાયક જંગમાં ઉતરશે કે કેમ તે અંગે એક મોટું અપડેટ આપ્યું છે.
જોહાનિસબર્ગમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયા (Team India) નું સાઉથ આફ્રિકા (South Africa) માં ટેસ્ટ સિરીઝ જીતવાનું સપનું ફરી એકવાર અટવાઈ ગયું છે. વાસ્તવમાં, બંને ટીમો વચ્ચેની 3 ટેસ્ટ મેચની શ્રેણી 1-1થી ડ્રો પર આવી છે. મતલબ કેપટાઉન (Cape Town Test) માં ત્રીજી ટેસ્ટ નિર્ણાયક અને રોમાંચક બની છે. આ નિર્ણાયક મેચ માટે વિરાટ કોહલી (Virat Kohli) નું મહત્વ પણ વધી જાય છે, જે ઈજાના કારણે જોહાનિસબર્ગ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો.

મુખ્ય કોચ રાહુલ દ્રવિડે (Rahul Dravid) વિરાટ કોહલી ટેસ્ટ શ્રેણીના અંતિમ અનેનિર્ણાયક જંગમાં ઉતરશે કે કેમ તે અંગે એક મોટું અપડેટ આપ્યું છે.
જોહાનિસબર્ગમાં રમાયેલી બીજી ટેસ્ટમાં નિયમિત કેપ્ટન વિરાટ કોહલીના આઉટ થયા બાદ કેએલ રાહુલે (KL Rahul) ટીમની કમાન સંભાળી હતી. ટેસ્ટ કેપ્ટનશિપમાં રાહુલનું પણ આ ડેબ્યુ હતું.

જોકે, તે પોતાની કેપ્ટનશિપમાં જીત સાથે શરૂઆત કરી શક્યો નહોતો. જોહાનિસબર્ગમાં ભારતીય ટીમ 240 રનના લક્ષ્યને બચાવવામાં નિષ્ફળ રહી અને મેચ 7 વિકેટે હાર્યા. આ હાર બાદ હવે બધાને એક જ સવાલ છે કે શું કોહલી દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી અને છેલ્લી ટેસ્ટમાં વાપસી કરશે?

કોહલી પર દ્રવિડની ફિટનેશ અપડેટ
વિરાટ કોહલી અને ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા આ મોટા સવાલનો જવાબ જોહાનિસબર્ગ ટેસ્ટ બાદ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ તરફથી મળ્યો. તેણે વિરાટ કોહલીની ઈજા અને તેની ફિટનેસ વિશે અપડેટ્સ આપી. રાહુલ દ્રવિડે કહ્યું, કોહલી જે રીતે નેટ્સમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે, તે ફિટ દેખાઈ રહ્યો છે. મુખ્ય કોચે કહ્યું કે જો કે તેણે હજુ સુધી ફિઝિયો સાથે આ અંગે ચર્ચા કરી નથી, પરંતુ તે જે સાંભળી રહ્યો છે અને તેની સાથે વાતચીત કરી રહ્યો છે તેના પરથી લાગે છે કે ભારતીય ટેસ્ટ કેપ્ટન ફિટ છે.

વિડના નિવેદનથી સ્પષ્ટ છે કે વિરાટ કોહલી કેપટાઉનમાં રમાનારી શ્રેણીની ત્રીજી અને છેલ્લી ટેસ્ટમાં વાપસી કરતો જોવા મળી શકે છે. જો આમ થશે તો તેનો અર્થ એ થશે કે હનુમા વિહારીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થવું પડી શકે છે.

संबंधित पोस्ट

Ind vs WI: ધવન કોરોના પોઝિટિવ, લોકેશ રાહુલ નહી રમે પ્રથમ વન ડે, રોહિત શર્મા સાથે કોણ કરશે ઓપનિંગ?

Karnavati 24 News

Shane Watson: શેન વોટસને ક્રિકેટમાં 5 શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરી, વિરાટ નંબર વન

Karnavati 24 News

હરભજન સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, 23 વર્ષની કારકિર્દીને અલવિદા કહયુ

Karnavati 24 News

પ્રથમ વૉર્મ અપ મેચમાં સૂર્યકુમાર યાદવની આક્રમક અડધી સદી, રોહિત-પંત ફેલ થયા

PAK Vs BAN: પાકિસ્તાને બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવ્યું, સેમીફાઇનલમાં પહોંચી

Admin

આજે કરો યા મરો નો મુકાબલો,ભારત Vs શ્રીલંકા સાંજે 7.30 વાગે,ભારત આજના મુકાબલામાં ફેવરિટ

Karnavati 24 News