Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

કોંગ્રેસે આદિવાસી સમાજનું અહીત કરનાર તરુણ પટેલને વિપક્ષના હોદ્દા પરથી દૂર કરવા જોઈએ, વાલોડ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ જયનાબેન ગામીતે શા માટે કહ્યું ?? વિગતવાર જાણો

 

વાલોડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ચૂંટાયેલા ૭ સભ્યોએ સંયુકત સહીથી તરુણ પટેલના લેટરપેડ પર તાલુકા પંચાયતના કામો અંગે ૧૩  જેટલી અરજીઓ કરી હોય તેમાંથી ત્રણ સભ્યોએ આજરોજ ટીડીઓને અરજી કરી જણાવ્યું કે,સંયુક્ત  સહીથી આપેલ  અરજી બાબતે તેઓને કઈ લેવા દેવા નથી.
 
કોંગ્રેસના સભ્યોએ ટીડીઓને આપેલ અરજીમાં જણાવ્યા અનુસાર,યોજનાકીય કામોની તપાસ કરતા કામો યોગ્ય રીતે અને સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર થયેલ હોવાથી વિરોધ કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો.પંચાયત વિરુદ્ધ પક્ષના નેતા રાજકીય હાથો બનીને કારોબારી અધ્યક્ષ જયનાબેન સંજયભાઈ ગામીતને માત્ર બદનામ કરવાના હેતુથી કરેલા તમામ આક્ષેપો ખોટા થયા છે અને વિકાસના કામોમાં ગેરરીતી થઈ હોવાના આક્ષેપો પણ ખોટા છે. તેમજ સમાજ અને વિસ્તારના કામો કરવા માટે શાસક પક્ષ સાથે તાલમેલ કરવો જરૂરી છે. દર વખતે વિરોધ કરીને વિકાસના કામોમાં અડચણ ઊભી કરવી યોગ્ય નથી.

આ બાબતે કારોબારી અધ્યક્ષ જયનાબેન ગામીતે જણાવ્યું હતું કે, કોંગ્રેસના ત્રણ સભ્યના વિપક્ષના નેતાના આક્ષેપો માંથી પોતાને કઈ લેવાદેવા નથી એવું જણાવી રહ્યા છે. એના પરથી સાબિત થાય છે કે, તરુણ પટેલ હરહંમેશ આદિવાસી સમાજની મહિલાનું અને આદિવાસી સમાજનું અપમાન કરતા આવ્યા છે, તરુણ પટેલ આદિવાસી વિરોધી માનસિકતા ધરાવનાર વ્યક્તિ છે, તેથી કોંગ્રેસે આવા આદિવાસી સમાજનું અહીત કરનાર તરુણ પટેલને વિપક્ષના હોદ્દા પરથી દૂર કરવા જોઈએ.

संबंधित पोस्ट

તિરંગા યાત્રા : સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શુક્રવારે ભવ્ય તિરંગા યાત્રા યોજાશે

Karnavati 24 News

NEET UG 2022: NEET UG के लिए आवेदन करने की आखिरी तारीख 15 मई है, जरूरी दस्तावेज और आवेदन शुल्क के लिए यहां क्लिक करें।

BSF के जवानों ने युवती को बंधक बनाकर किया रेप: दूध लेने गई थी; डेयरी मालिक-कर्मचारी भी शामिल, 5 पर केस

Admin

SBI में भर्ती: 38 वर्ष तक के स्नातक आवेदन कर सकते हैं, लिखित साक्षात्कार के आधार पर चयन

Karnavati 24 News

बैलगाड़ी से RTI से मिली 9 हजार पेज की जानकारी लेने पहुंचा एक्टिविस्ट, लोगों में बना चर्चा विषय

Admin

NCP અમદાવાદ ખાતે સેવાદળ માં નવા પદાધિકારી ની નિયુક્તિ

Karnavati 24 News