ગુજરાતમાં આ વખતે 100 ટકા વરસાદના કારણે અત્યારે જળાશયો એક પછી એક છલકાઈ રહ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં ફરીટ વધારો કરાયો છે. જેના કારણે જળસપાટી 136.058 મીટરે પહોંચી છે. જેથી ફરીથી 23 દરવાજા ડેમના 3 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. જેથી 7થી 8 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ગઈ કાલે 5 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ હતી. ત્યારે આજે પણ પાણીની આવકમાં વધારો થતા વડોદરા ભરુચ, નર્મદા વિસ્તારના કાંઠા સાઈડના ગામોને એલર્ટ કરાયા છે.
આ ઉપરાંત ભરુચ નર્મદા ડેમમાં પાણીની આવક થતા 25.87 ફૂટ ગોલ્ડન બ્રિજની સપાટી વધી છે. ગોલ્ડન બ્રિજની અગાઉ પાણી છોડવાના કારણે સપાટી 19 ફૂટ સુધી આવી ગઈ હતી ત્યારે ફરીથી નર્મદામાં પાણીની આવક થતા સપાટી વધી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
પાટણમાં મુક્તેશ્વર ડેમ પણ ભયજનક સપાટીએ છીએ. જેથી નજપુરા, શેરગઠ સહીતના ગામોને એલર્ટ કરાયા છે. 200 ફૂટ પર જળાશયની સપાટી પહોંચતા ગામોને આજુ બાજુમાં એલર્ટ કરાયા છે. કેમ કે, જળાસયની સપાટી વધતા પાણી છોડવામાં આવશે. સિંચાઈ વિભાગે પત્ર દ્વારા આ એલર્ટ આપ્યું છે. આ ઉપરાંત મહેસાણામાં દાંતીવાડા ડેમમાં 21 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. દાંતીવાડા ડેમ પણ ભયજનક સપાટીએ છે. ઉનાળામાં કોરા ધાકોર બની ચૂકેલા જળાશયોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.