Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

નર્મદા ડેમ સિવાય ગુજરાતના આ ડેમો પણ ભયજન સપાટી પર, નીચાણવાળા વિસ્તારો એલર્ટ મોડ પર

ગુજરાતમાં આ વખતે 100 ટકા વરસાદના કારણે અત્યારે જળાશયો એક પછી એક છલકાઈ રહ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં ફરીટ વધારો કરાયો છે. જેના કારણે જળસપાટી 136.058 મીટરે પહોંચી છે. જેથી ફરીથી 23 દરવાજા ડેમના 3 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.  જેથી 7થી 8 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ગઈ કાલે 5 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ હતી. ત્યારે આજે પણ પાણીની આવકમાં વધારો થતા વડોદરા ભરુચ, નર્મદા વિસ્તારના કાંઠા સાઈડના ગામોને એલર્ટ કરાયા છે.

આ ઉપરાંત ભરુચ નર્મદા ડેમમાં પાણીની આવક થતા 25.87 ફૂટ ગોલ્ડન બ્રિજની સપાટી વધી છે. ગોલ્ડન બ્રિજની અગાઉ પાણી છોડવાના કારણે સપાટી 19 ફૂટ સુધી આવી ગઈ હતી ત્યારે ફરીથી નર્મદામાં પાણીની આવક થતા સપાટી વધી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

પાટણમાં મુક્તેશ્વર ડેમ પણ ભયજનક સપાટીએ છીએ.  જેથી નજપુરા, શેરગઠ સહીતના ગામોને એલર્ટ કરાયા છે. 200 ફૂટ પર જળાશયની સપાટી પહોંચતા ગામોને આજુ બાજુમાં એલર્ટ કરાયા છે. કેમ કે, જળાસયની સપાટી વધતા પાણી છોડવામાં આવશે. સિંચાઈ વિભાગે પત્ર દ્વારા આ એલર્ટ આપ્યું છે.  આ ઉપરાંત મહેસાણામાં દાંતીવાડા ડેમમાં 21 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. દાંતીવાડા ડેમ પણ ભયજનક સપાટીએ છે. ઉનાળામાં કોરા ધાકોર બની ચૂકેલા જળાશયોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

संबंधित पोस्ट

કિશાન સંઘે આપેલા અલ્ટીમેટમ બાદ વીજળી મામલે કિશાન સંઘની બેઠક મંત્રી કનુ દેસાઈ સાથે આજે થશે

Karnavati 24 News

ભરૂચ પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરવામાં આવી; 29મી માર્ચે ગુમ થયાની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટસિટીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવ્યો

Gujarat Desk

ગુજરાત પાવર એન્જીનીયરીંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GPERI)દ્વારા રોડ સેફટી અવેરનેસ સેમિનારનું આયોજન

Gujarat Desk

ખેતીવાડી ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહે તે માટે છેલ્લા બે વર્ષમાં ૫ જિલ્લાઓમાં કુલ ૪૮.૯૩ કરોડ કરતા વધુનો ખર્ચ કરાયો: ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

Gujarat Desk

આજે ૦૭ માર્ચ એટલે જન ઔષધિ દિવસ

Gujarat Desk
Translate »