Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

નર્મદા ડેમ સિવાય ગુજરાતના આ ડેમો પણ ભયજન સપાટી પર, નીચાણવાળા વિસ્તારો એલર્ટ મોડ પર

ગુજરાતમાં આ વખતે 100 ટકા વરસાદના કારણે અત્યારે જળાશયો એક પછી એક છલકાઈ રહ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં ફરીટ વધારો કરાયો છે. જેના કારણે જળસપાટી 136.058 મીટરે પહોંચી છે. જેથી ફરીથી 23 દરવાજા ડેમના 3 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.  જેથી 7થી 8 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ગઈ કાલે 5 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ હતી. ત્યારે આજે પણ પાણીની આવકમાં વધારો થતા વડોદરા ભરુચ, નર્મદા વિસ્તારના કાંઠા સાઈડના ગામોને એલર્ટ કરાયા છે.

આ ઉપરાંત ભરુચ નર્મદા ડેમમાં પાણીની આવક થતા 25.87 ફૂટ ગોલ્ડન બ્રિજની સપાટી વધી છે. ગોલ્ડન બ્રિજની અગાઉ પાણી છોડવાના કારણે સપાટી 19 ફૂટ સુધી આવી ગઈ હતી ત્યારે ફરીથી નર્મદામાં પાણીની આવક થતા સપાટી વધી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

પાટણમાં મુક્તેશ્વર ડેમ પણ ભયજનક સપાટીએ છીએ.  જેથી નજપુરા, શેરગઠ સહીતના ગામોને એલર્ટ કરાયા છે. 200 ફૂટ પર જળાશયની સપાટી પહોંચતા ગામોને આજુ બાજુમાં એલર્ટ કરાયા છે. કેમ કે, જળાસયની સપાટી વધતા પાણી છોડવામાં આવશે. સિંચાઈ વિભાગે પત્ર દ્વારા આ એલર્ટ આપ્યું છે.  આ ઉપરાંત મહેસાણામાં દાંતીવાડા ડેમમાં 21 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. દાંતીવાડા ડેમ પણ ભયજનક સપાટીએ છે. ઉનાળામાં કોરા ધાકોર બની ચૂકેલા જળાશયોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

संबंधित पोस्ट

હરિયાણા પંજાબ થી આવેલ ધાર્મિક અગ્રનિયું નું ઇન્ટરવયૂ

Karnavati 24 News

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મળી આરોગ્ય વિભાગની ગવર્નીંગ બોડીની બેઠક

Karnavati 24 News

અમદાવાદમાં વૃક્ષારોપણ પાછળનાં ખર્ચમાં 2019– 20થી 2021-22માં 116 ટકાનો વધારો નોંધાયો છે

Admin

ભિલોડા પંથકમાં ભારે વરસાદે તારાજી સર્જી તો હવે જગતના તાતના માથે ચિંતા, પાકમાં ઇયળનો ઉપદ્રવ વધ્યો

Karnavati 24 News

ખોડીયાર નગર રિવરફ્રન્ટ વિસ્તાર મા ભોજન નો કાર્યક્રમ

Karnavati 24 News

 આણંદના લોકોને ગાંધીનગર સુધી પહોંચવા વધુ એક ટ્રેનની સુવિધા મળી

Karnavati 24 News