Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશ

આગામી તા.૧૨/૦૯/૨૦૨૨ સુધી અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા ખાસ ઝુંબેશ

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ઓનલાઈન નોંધણી અને સુધારા કરવાની સુવિધા ઉપલબ્ધ

આગામી તા.૧૨/૦૯/૨૦૨૨ સુધી અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા ખાસ ઝુંબેશ

ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેના અંતર્ગત આગામી તા.૧૧/૦૯/૨૦૨૨ સુધી અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત કેટલાક ફેરફરો કરવામાં આવ્યા છે. આ ફેરાફારોના કારણે હવે વર્ષમાં ૦૪ તારીખોએ ૧૮ વર્ષ પૂર્ણ કરનારા ઉમેદવારો મતદાર તરીકે પોતાનું નામ નોંધાવી શકે છે.  અગાઉ ફક્ત ૦૧/૦૧ના પરિપ્રેક્ષ્યમાં આ યાદી તૈયાર કરવામાં આવતી હતી. આ ફેરફારના કારણે પ્રથમવાર મતદાર તરીકે લાયક થનારા મતદારોની સંખ્યા વધશે. અમરેલીમાં આ તારીખો અંતર્ગત મેચ્યોર થતા યુવક-યુવતીઓ મતદાર તરીકે નોંધાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

ચૂંટણીપંચ દ્વારા મતદારોને ઓનલાઈન નોંધણી અને સુધારણા માટે સુવિધા આપવામાં આવી છે. ઓનલાઈન પોર્ટલ  https://www.nvsp.in/  www.voterportal.eci.gov.in  voter helpline mobile app (ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે) અને GARUDA APP (BLO) મારફતે ઉપયોગમાં લઈ શકાશે.  આ વેબસાઈટ/એપ્લિકેશન પરથી મતદાર યાદીમાં નામોની નોંધણી થશેનવા મતદાર તરીકે નોંધણી કરાવી શકાશેમતદાર યાદીમાં વિગતોમાં સુધારો કરી શકાશેનવા મતદારો માટે ઈ-એપિક ડાઉનલોડ કરવાની સુવિધાઓ આપી શકાશે.  આ ઉપરાંત ઓનલાઈન કરવામાં આવેલી અરજીનું સ્ટેટસ પણ જાણી શકાશે. ફોર્મ ૬-b  ભરીને ચૂંટણી કાર્ડ સાથે પોતાનું આધાર લીંક કરાવી શકશે. આ ઉપરાંત ૧૯૫૦ હેલ્પલાઇન નંબર પરથી પણ માહિતી મેળવી શકાશે.

संबंधित पोस्ट

 મોરબીના WIRELESS ASI બેસ્ટ ઓનલાઈન કામગીરી માટે નેશનલ લેવલે નોમીનેટ

Karnavati 24 News

અમદાવાદમાં પત્નીને પતીને મારી ઘર પર કબ્જો જમાવતા પતીએ હાઈકોર્ટમાં કરી અરજી

Karnavati 24 News

ભારતમાં રોજના ઓમિક્રૉનના આવી શકે છે 14 લાખ કેસ, સરકારની ચેતવણી

Karnavati 24 News

 સર્પદંશથી ઇજાગ્રસ્ત દર્દી SSG હોસ્પિટલમાં સ્ટ્રેચર પર હતો અને ડોક્ટર સામે પરિવારે કોથળીમાંથી સાપ કાઢતા જ..

Karnavati 24 News

दुनियाभर के पर्यटन उद्योग पर महामारी का बुरा प्रभाव, जानें- किस देश में क्या है असर

Admin

જૂનાગઢ જિલ્લા માં 338 ગામના મતદાન મથક ખાતે બપોર બાદ પોલીંગ સ્ટાફ અને પોલીસ પહોંચી જશે

Karnavati 24 News