Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

ભાવનગરની તૃષા છુપાવતો શેત્રુંજી ડેમ હવે રાષ્ટ્રભક્તિના પ્રેરણાના પિયૂષ પાઇ રહ્યો છે ડેમમાં કરાયેલી રોશનીએ રાષ્ટ્ર ભક્તિના મેઘધનુષી રંગો વેર્યા શેત્રુંજી ડેમ પર કરાયેલી નયનરમ્ય રોશની ૧૫ મી ઓગસ્ટ સુધી

ભાવનગરની તૃષા છુપાવતો શેત્રુંજી ડેમ હવે રાષ્ટ્રભક્તિના પ્રેરણાના પિયૂષ પાઇ રહ્યો છે ડેમમાં કરાયેલી રોશનીએ રાષ્ટ્ર ભક્તિના મેઘધનુષી રંગો વેર્યા શેત્રુંજી ડેમ પર કરાયેલી નયનરમ્ય રોશની ૧૫ મી ઓગસ્ટ સુધી તેનાં ઓજસ પાથરશે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ગઈકાલથી શરૂ થયેલાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અન્વયે સમગ્ર રાષ્ટ્રમાં તેની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતભૂમિનો એક પણ ખંડ ‘તિરંગા’ વગર ન રહે તેવાં લોકોના સ્વયંભૂ અભૂતપૂર્વ પ્રયાસો થકી ભારતની ધન્ય ધરા આજે તિરંગામય બની છે. ભારતની નદી, સરોવર, ડેમ, પહાડ, રણભૂમિ, વેરાન પ્રદેશ એમ તમામ જગ્યાએ ભારત દેશનું સ્વાભિમાન તિરંગાના લહેરાવવા સાથે છલકાઈ રહ્યું છે. તે ઉપક્રમમાં ભાવનગરની તૃષા છીપાવતો શેત્રુંજી ડેમ ભારતની આન, બાન શાનનાં પ્રતિક એવાં તિરંગાથી લહેરાઈને હવે રાષ્ટ્રભક્તિના પ્રેરણાના પિયૂષ પાઇ રહ્યો છે. આ અગાઉ આ ડેમમાં ભારતીય તિરંગો શેત્રુંજી ડેમની અફાટ જળ રાશિમાં પણ લહેરાવવામાં આવ્યો હતો અને અત્યારે તેના કિનારે પણ ભારતમાતાનું સર ઉન્નત કરતાં નભ સાથે વાતો કરતાં લહેરી રહ્યો છે. શેત્રુંજી ડેમને કાંઠે કરાયેલી આ રોશની નયનરમ્ય તો છે જ પણ ભારતના દિવ્ય ઓજસ અને તેજસને પણ ફેલાવી રહ્યો છે. ડેમ ખાતે આ મેઘ ધનુષ્ય રંગોનો નજારો ૧૫ મી ઓગસ્ટ સુધી ચાલુ રહેવાનો છે. આમ, ભાવનગર શહેર અને જિલ્લાને પાણીનું સિંચન કરતો આ ડેમ તેના મંદ-મંદ ઉછળતા લહેરોના કલરવ સાથે દેશભક્તિનું ગાન પણ પ્રસારિત કરી રહ્યો છે.

संबंधित पोस्ट

કોરોનાએ અમીર-ગરીબનું અંતર વધાર્યું: દર 30 કલાકે જન્મે છે એક અબજોપતિ,

Karnavati 24 News

અટલ પેન્શન યોજનામાં 60 વર્ષ પછી કેટલું પેન્શન મળશે* ?

Karnavati 24 News

સરકારે ‘ગે’ સામે વાંધો ઉઠાવ્યો, કોલેજિયમના 20 નામ પાછા મોકલ્યા

Admin

એક્સક્લુઝિવ: અમેરિકન ગુજરાતીએ ટ્રક કંપની AMW, Tritonને રૂ.માં હસ્તગત કરી. 400-600 કરોડ

છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13,734 કેસ નોંધાયા, સક્રીય કેસમાં આવ્યો ઘટાડો

Karnavati 24 News

Smugglers નવો જુગાર: જનરેટર જે વીજળીને બદલે દારૂ બનાવે છે

Karnavati 24 News
Translate »