Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13,734 કેસ નોંધાયા, સક્રીય કેસમાં આવ્યો ઘટાડો

દેશમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો જોવા મળી  રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 13,734 નવા કેસ સામે આવ્યા છે. જો કે, સક્રિય કેસોમાં તીવ્ર ઘટાડો થયો અને ઘટીને 1,39,792 પર આવી ગયો.

મંગળવારે સવારે 8 કલાકે અપડેટ થયેલા ડેટા અનુસાર, હવે કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,40,50,009 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 27 લોકોએ કોરોના સામે હાર માની છે. આ સાથે કુલ મૃત્યુઆંક પણ વધીને 5,26,430 થયો છે.

છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 4,197નો ઘટાડો થયો છે. આ ઘટીને 1,39,792 થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, તે કુલ સંક્રમિતોના 0.32 % છે. રાષ્ટ્રીય કોવિડ રિકવરી રેટ 98.49 % છે.

દિલ્હીમાં કોરોનાના 822 નવા કેસ સામે આવ્યા

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે કોરોના સંક્રમણના 822 નવા કેસ સામે આવ્યા, જેથી સંક્રમ્ણ દર વધીને 11.41 % પર પહોંચી ગયો, જે ગત છ મહિનામાં સૌથી વધુ છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દિલ્હીમાં સોમવારે કોવિડ 19 થે બે લોકોના મોત થયા. ત્યારબાદ મહામારીના લીધે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા વધીને 26,313 પર પહોંચી ગઇ છે. 822 નવા દર્દી મળવાથી દિલ્હીમાં અત્યાર સુધી સંક્રમિત થઇ ચૂકેલા લોકોનો આંકડો વધીને 19,56,593 થઇ ગયો.

संबंधित पोस्ट

AP Election Commissioner: आंध्र प्रदेश चुनाव आयुक्त के रूप में डॉ एन रमेश कुमार को सौंपी गई जिम्मेदारी

Admin

ગર્ભપાતની પરવાનગી માંગવા પર દિલ્હી હાઈકોર્ટે ઇન્કાર કરી સુજાવ આપ્યો

Karnavati 24 News

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની માંગઃ વધારવામાં આવે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજોની નિવૃત્તિ વય

Karnavati 24 News

ત્રીજા વિશ્વયુદ્ધની ભયાનકતા! બાઇડનએ રશિયાને ચેતવણી આપી, કહ્યું કે જો હુમલો થશે તો યુક્રેન બદલો લેશે

Karnavati 24 News

ભોજપુરીઃ દેશભક્તિના રંગમાં જોવા મળી અક્ષરા સિંહ, પોસ્ટ શેર કરીને તિરંગા અભિયાનને સમર્થન આપ્યું

Karnavati 24 News

PM મોદીએ C-295 એરક્રાફ્ટના પ્રોડક્શન સેન્ટરનો પાયો નાખ્યો, કહ્યું- મેક ઈન ઈન્ડિયાનો સંકલ્પ મજબૂત થશે

Karnavati 24 News