Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

દેશની ચૂંટણીમાં રાજકારણીઓનો અભ્યાસ અને નિવૃત્તિ ઉમર અંગે ક્યારે ચર્ચા થશે ?

ભારત દેશ આઝાદ થયાના 75 વર્ષ પુરા કરશે તેમ છતાં પણ હજુ રાજકીય પાર્ટી ચૂંટણી સમયે ગરીબી, રોજગાર, આરોગ્ય, રોડ રસ્તા જેવા મુદ્દે પર મોટા મોટા વાયદા કરશે. ચૂંટણી પ્રચારમાં કરોડો રૂપિયાનો ધુમાડો કરીને ખોટા વચનો આપવામાં આવશે. ભારતના રાજકારણમાં હજુ સુધી કોઈ પણ પાર્ટી એવી નથી આવી કે તે રાજકારણીઓના અભ્યાસ અને નિવૃત્તિની ઉમર અંગે વાયદા કે વચનો આપે તેમજ અનેક ગુનાઓ ધરાવતા છતાં પણ ભારતમાં નેતા ચૂંટાઈને આવે છે તે જ ભારતની નબળાઈ સાબિત થાય છે.

ભારત દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે પરંતુ સાચી હકીકત એ છે કે ભારતમાં અભણ રાજકારણી રાજ કરે છે અને ભણેલ વ્યક્તિ નતાઓને સલામ કરે છે. ભારત દેશમાં કોર્પોરેટરથી એમએલએ અને એમપી સુધી બધા જ કરોડપતિ રાજકારણીઓ છે. એક જ ચૂંટણીમાં વિજેતા થાય એટલે તેમને આજીવન પેન્સન સાથે અનેકો સુવિધા ઉપલબ્ધ થઇ જાય છે જયારે સરકારી નૌકરી કરતા કર્મચારીઓને પેન્શન જેવા લાભથી વંચિત રાખવામાં આવે છે.

ભારતમાં નેતાઓ, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને રોડ ટેક્સમાંથી મુક્તિ મળે છે. હવાઈ મુસાફરી, ફોન બિલ, ભથ્થા તેમજ અન્ય લાભો પણ મળે છે. ચાર ચોપડી ભણેલા નેતાથી લઈને 80 વર્ષના નેતાઓ ભારતમાં છે. કેટલાક નેતાઓતો જીવનના આખરી પડાવ સુધી સક્રિય રાજકારણમાં રહે છે. ભારત દેશમાંથી ઉચ્ચ અભ્યાસ કરી યુવાનો વિદેશોમાં ગમન કરે છે તેનું કારણ ભારતની રાજનીતિ છે. ભારતમાં રાજકીય પક્ષ ક્યારે પણ નેતાના ભણતર અને નિવૃત્તિ પર ભાષણ નહીં આપે.

દેશમાં અનેક નેતાઓ છે જેના પર અનેક ગુનાહો લાગેલા છે તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. ભારતમાં કોઈપણ યુવાન જયારે નૌકરી મેળવવા જાય છે ત્યારે તેનું ભણતર જોવામાં આવે છે અને જયારે નેતાઓ ચૂંટણી લડે છે ત્યારે તેમનું ભણતર જોવામાં આવતું નથી કે નથી તેની ઉમર જોવામાં આવતી. આઝાદીના 75 વર્ષ પછી પણ ભારત દેશની આ દશા છે તેના માટે રાજકારણ જ જવાબદાર છે.

संबंधित पोस्ट

સરકાર ખેડૂતોને આર્થિક રીતે ટકાઉ કૃષિ વ્યૂહરચના અપનાવવા પ્રોત્સાહિત કરે છે

ભાવનગરની તૃષા છુપાવતો શેત્રુંજી ડેમ હવે રાષ્ટ્રભક્તિના પ્રેરણાના પિયૂષ પાઇ રહ્યો છે ડેમમાં કરાયેલી રોશનીએ રાષ્ટ્ર ભક્તિના મેઘધનુષી રંગો વેર્યા શેત્રુંજી ડેમ પર કરાયેલી નયનરમ્ય રોશની ૧૫ મી ઓગસ્ટ સુધી

Karnavati 24 News

પશુપાલકોની જીવાદોરી સમાન સર્વોત્તમ ડેરીમાં ૧૪ થી ૨૧ સુધી સહકારી સપ્તાહની ઉજવણી

Karnavati 24 News

ગર્ભપાતની પરવાનગી માંગવા પર દિલ્હી હાઈકોર્ટે ઇન્કાર કરી સુજાવ આપ્યો

Karnavati 24 News

દિલ્હી: MCDની બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની રોક, યથાસ્થિતિ બનાવી રાખવાના આદેશ

Karnavati 24 News

गणपति स्थापना कैसे करनी चाहिए। किन बातो का ध्यान रखना चाहिए।

Karnavati 24 News
Translate »