Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

દેશની ચૂંટણીમાં રાજકારણીઓનો અભ્યાસ અને નિવૃત્તિ ઉમર અંગે ક્યારે ચર્ચા થશે ?

ભારત દેશ આઝાદ થયાના 75 વર્ષ પુરા કરશે તેમ છતાં પણ હજુ રાજકીય પાર્ટી ચૂંટણી સમયે ગરીબી, રોજગાર, આરોગ્ય, રોડ રસ્તા જેવા મુદ્દે પર મોટા મોટા વાયદા કરશે. ચૂંટણી પ્રચારમાં કરોડો રૂપિયાનો ધુમાડો કરીને ખોટા વચનો આપવામાં આવશે. ભારતના રાજકારણમાં હજુ સુધી કોઈ પણ પાર્ટી એવી નથી આવી કે તે રાજકારણીઓના અભ્યાસ અને નિવૃત્તિની ઉમર અંગે વાયદા કે વચનો આપે તેમજ અનેક ગુનાઓ ધરાવતા છતાં પણ ભારતમાં નેતા ચૂંટાઈને આવે છે તે જ ભારતની નબળાઈ સાબિત થાય છે.

ભારત દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે પરંતુ સાચી હકીકત એ છે કે ભારતમાં અભણ રાજકારણી રાજ કરે છે અને ભણેલ વ્યક્તિ નતાઓને સલામ કરે છે. ભારત દેશમાં કોર્પોરેટરથી એમએલએ અને એમપી સુધી બધા જ કરોડપતિ રાજકારણીઓ છે. એક જ ચૂંટણીમાં વિજેતા થાય એટલે તેમને આજીવન પેન્સન સાથે અનેકો સુવિધા ઉપલબ્ધ થઇ જાય છે જયારે સરકારી નૌકરી કરતા કર્મચારીઓને પેન્શન જેવા લાભથી વંચિત રાખવામાં આવે છે.

ભારતમાં નેતાઓ, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને રોડ ટેક્સમાંથી મુક્તિ મળે છે. હવાઈ મુસાફરી, ફોન બિલ, ભથ્થા તેમજ અન્ય લાભો પણ મળે છે. ચાર ચોપડી ભણેલા નેતાથી લઈને 80 વર્ષના નેતાઓ ભારતમાં છે. કેટલાક નેતાઓતો જીવનના આખરી પડાવ સુધી સક્રિય રાજકારણમાં રહે છે. ભારત દેશમાંથી ઉચ્ચ અભ્યાસ કરી યુવાનો વિદેશોમાં ગમન કરે છે તેનું કારણ ભારતની રાજનીતિ છે. ભારતમાં રાજકીય પક્ષ ક્યારે પણ નેતાના ભણતર અને નિવૃત્તિ પર ભાષણ નહીં આપે.

દેશમાં અનેક નેતાઓ છે જેના પર અનેક ગુનાહો લાગેલા છે તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. ભારતમાં કોઈપણ યુવાન જયારે નૌકરી મેળવવા જાય છે ત્યારે તેનું ભણતર જોવામાં આવે છે અને જયારે નેતાઓ ચૂંટણી લડે છે ત્યારે તેમનું ભણતર જોવામાં આવતું નથી કે નથી તેની ઉમર જોવામાં આવતી. આઝાદીના 75 વર્ષ પછી પણ ભારત દેશની આ દશા છે તેના માટે રાજકારણ જ જવાબદાર છે.

संबंधित पोस्ट

દેશ માટે ખતરો છે ફેક ન્યૂઝ, PM મોદીએ કહ્યું- સોશિયલ મીડિયા પર કંઈપણ શેર કરતા પહેલા તથ્યોની તપાસ કરો

Admin

રાહત / આધાર કાર્ડમાં અપડેટ હવે ઘરે બેઠા થઈ જશે, પોસ્ટ વિભાગે શરૂ કરી નવી પહેલ

Karnavati 24 News

ઉદ્ઘાટનના પાંચ દિવસ બાદ જ વરસાદમાં બુંદેલખંડ એક્સપ્રેસ વે નું ધોવાણ, નબળી કામગીરી છતી થઇ

Karnavati 24 News

સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાએ રજૂ કરેલ નવા બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપી

Karnavati 24 News

હિન્દીનો વધતો પ્રભાવ: વિશ્વમાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા હિન્દીનું પ્રભુત્વ ઝડપથી વધ્યું છે

Karnavati 24 News

દિલ્હીમાં 500 ત્રિરંગા સ્થાપિત કરવામાં આવશે, આ કામો જોવા માટે સ્વયંસેવકોની સમિતિ બનાવવામાં આવશે, અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી

Karnavati 24 News