Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

દિલ્હી: MCDની બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની રોક, યથાસ્થિતિ બનાવી રાખવાના આદેશ

સુપ્રીમ કોર્ટે જહાંગીરપુરીમાં દિલ્હી મહાનગરપાલિકાની બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. કોર્ટે એમસીડીને યથાસ્થિતિ બનાવી રાખવા કહ્યુ છે. હવે અતિક્રમણ હટાવવા વિરૂદ્ધ દાખલ અરજી પર ગુરૂવારે ફરી સુનાવણી થશે.

મહત્વપૂર્ણ છે કે 16 એપ્રિલે હનુમાન જયંતીના પ્રસંગે કાઢવામાં આવેલી શોભા યાત્રા પર જહાંગીરપુરીમાં પથ્થરમારો થયો હતો, ત્યારથી લઇને અત્યાર સુધી 20થી વધુ આરોપી પકડાઇ ચુક્યા છે. આ વચ્ચે એમસીડીએ જહાંગીરપુરીમાં હાજર ગેરકાયદેસર અતિક્રમણ હટાવવાનો નિર્ણય લીધો છે. આજે કાર્યવાહી પણ શરૂ થઇ હતી. ઘણી હદ સુધી ગેરકાયદેસર કબજા પર બુલડોઝર પણ ચાલી ચુક્યુ છે પરંતુ આ વચ્ચે સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દીધો છે.

દિલ્હી હાઇકોર્ટે પણ સુનાવણી માટે તૈયાર

બીજી તરફ દિલ્હી હાઇકોર્ટ પણ સુનાવણી માટે તૈયાર થઇ ગઇ છે. જોકે, કોર્ટે તુરંત એમસીડીની બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો.

મહત્વપૂર્ણ છે કે જહાંગીરપુરીમાં હનુમાન જયંતી પર હિંસા થઇ હતી. ઉત્તરી દિલ્હી મહાનગરપાલિકાએ હિંસાના આરોપીઓની ગેરકાયદેસર સંપત્તિઓ પર 20 અને 21 એપ્રિલે બુલડોઝર ચલાવવાની જાહેરાત કરી હતી. ભાજપે પણ હિંસાના આરોપીના ગેરકાયદેસર ઘર પર બુલડોઝર ચલાવવાની માંગ કરી હતી. આ પહેલા યુપી, એમપી અને ગુજરાતમાં આ રીતની કાર્યવાહી કરવામાં આવી હતી.

संबंधित पोस्ट

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગના સાપુતારા નજીક સુરતની પ્રવાસી બસને થયેલા અકસ્માત માં મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી

Karnavati 24 News

નાઈજીરિયામાં પોલીસને મોટી સફળતા મળી છે, લગભગ 100 અપહરણ લોકોને બિનશરતી બચાવી

Karnavati 24 News

ઓપરેશન બ્લુ સ્ટારની 38મી વર્ષગાંઠ: ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા; જુથેદારે શુટીંગ રેન્જ ઉભી કરવા અને આધુનિક હથિયારોની તાલીમ આપવાનો સંદેશો આપ્યો હતો

Karnavati 24 News

Dhanteras 2022: धनतेरस पर कर लें धनिया के उपाय, होगी बरकत, घर में आएगी खुशहाली

Admin

गणपति स्थापना कैसे करनी चाहिए। किन बातो का ध्यान रखना चाहिए।

Karnavati 24 News

પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પૂરીએ કહ્યું, પેટ્રોલ-ડીઝલ પર રાહત નહીં મળે

Karnavati 24 News