Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

દિલ્હી: MCDની બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની રોક, યથાસ્થિતિ બનાવી રાખવાના આદેશ

સુપ્રીમ કોર્ટે જહાંગીરપુરીમાં દિલ્હી મહાનગરપાલિકાની બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. કોર્ટે એમસીડીને યથાસ્થિતિ બનાવી રાખવા કહ્યુ છે. હવે અતિક્રમણ હટાવવા વિરૂદ્ધ દાખલ અરજી પર ગુરૂવારે ફરી સુનાવણી થશે.

મહત્વપૂર્ણ છે કે 16 એપ્રિલે હનુમાન જયંતીના પ્રસંગે કાઢવામાં આવેલી શોભા યાત્રા પર જહાંગીરપુરીમાં પથ્થરમારો થયો હતો, ત્યારથી લઇને અત્યાર સુધી 20થી વધુ આરોપી પકડાઇ ચુક્યા છે. આ વચ્ચે એમસીડીએ જહાંગીરપુરીમાં હાજર ગેરકાયદેસર અતિક્રમણ હટાવવાનો નિર્ણય લીધો છે. આજે કાર્યવાહી પણ શરૂ થઇ હતી. ઘણી હદ સુધી ગેરકાયદેસર કબજા પર બુલડોઝર પણ ચાલી ચુક્યુ છે પરંતુ આ વચ્ચે સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દીધો છે.

દિલ્હી હાઇકોર્ટે પણ સુનાવણી માટે તૈયાર

બીજી તરફ દિલ્હી હાઇકોર્ટ પણ સુનાવણી માટે તૈયાર થઇ ગઇ છે. જોકે, કોર્ટે તુરંત એમસીડીની બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો.

મહત્વપૂર્ણ છે કે જહાંગીરપુરીમાં હનુમાન જયંતી પર હિંસા થઇ હતી. ઉત્તરી દિલ્હી મહાનગરપાલિકાએ હિંસાના આરોપીઓની ગેરકાયદેસર સંપત્તિઓ પર 20 અને 21 એપ્રિલે બુલડોઝર ચલાવવાની જાહેરાત કરી હતી. ભાજપે પણ હિંસાના આરોપીના ગેરકાયદેસર ઘર પર બુલડોઝર ચલાવવાની માંગ કરી હતી. આ પહેલા યુપી, એમપી અને ગુજરાતમાં આ રીતની કાર્યવાહી કરવામાં આવી હતી.

संबंधित पोस्ट

હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત યોજાયેલી શાળાકીય સ્પર્ધામાં જિલ્લાના ૯૮,૭૫૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

Karnavati 24 News

અટલ પેન્શન યોજનામાં 60 વર્ષ પછી કેટલું પેન્શન મળશે* ?

Karnavati 24 News

PM મોદીએ સાયન્સ સિટી અમદાવાદમાં આયોજિત કેન્દ્ર-રાજ્ય વિજ્ઞાન પરિષદનું ઉદ્ઘાટન કર્યું

Karnavati 24 News

ચીનમાં કોરોના કેસ: નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચીનમાં આ સજા

Karnavati 24 News

ભારતના ઘઉંની નિકાસ પ્રતિબંધનું સમર્થન કરીને ચીને આશ્ચર્યચકિત કર્યા.

Karnavati 24 News

ગુજરાત ગેસે CNG-PNGના ભાવમાં વધારો કર્યો, ફુગાવાને વધુ એક ફટકો

Karnavati 24 News
Translate »