Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દાહોદનાં ઝાલોદ ખાતે સહભાગી થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દાહોદનાં ઝાલોદ ખાતે સહભાગી થશે

મુખ્યમંત્રી રૂ. ૧૦૦૦ કરોડથી વધુ રકમના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આ અવસરે કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી તા. ૯ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દાહોદનાં ઝાલોદ ખાતે સહભાગી થશે. આદિવાસી બંધુઓના સર્વાગી વિકાસ અને કલ્યાણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે ત્યારે મુખ્યમંત્રીશ્રી રૂ. ૧૦૦૦ કરોડથી વધુ રકમના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આ અવસરે કરશે.
 વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રાજ્યના ૨૭ સ્થળોએ કાર્યક્રમ યોજાશે ત્યારે દાહોદનાં ઝાલોદ ખાતેના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ અને સાંસદ જસવંતસિંહ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે.
 ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આયોજીત કાર્યક્રમમાં રૂ. ૧૦૦૦ કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી દ્વવારા કરવાના છે. જેમાં વ્યક્તિલક્ષી લાભની વિગત જોઇએ તો ૭૫૦૦ આવાસો માટે રૂ. ૯૦ કરોડના ચેકનું વિતરણ કરાશે. વન અધિકાર અધિનિયમ અંતર્ગત ૧૧૦૦૦ અધિકારપત્રોનું વિતરણ કરાશે. સિકલ સેલના ૬૦૦૦ દર્દીઓને રૂ. ૩.૬ કરોડની સહાયનું વિતરણ કરાશે. તેમજ ૧૨ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ તથા શિષ્યવૃત્તિની રૂ. ૧૬૦ કરોડની સહાયનું વિતરણ કરાશે. તદ્દઉપરાંત ૨૫૦૦ લોકોને દૂધાળા પશુઓના લાભ અને ૨૦૦૦ ખેડૂતોને ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓના લાભ અપાશે.
 ઝાલોદનાં સાયન્સ કોલેજના બાજુમાં મેલાણીયા ખાતે સવારે ૧૦.૩૦ કલાકથી આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

संबंधित पोस्ट

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ મતદાન કર્યા બાદ આપી આ પ્રતિક્રીયા, કહી આ વાત

Admin

અનુ.જાતિ મોરચા દ્વારા માન.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો

 દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-૧૯ ને લઇને એક પત્રકાર પરિષદ

Karnavati 24 News

ગોંડલ વિધાનસભા બેઠક અલ્પેશ કથિરીયાને આપ પાર્ટી ઉતારી શકે છે, જાતિગત સમીકરણો

Admin

દિલ્હીના એલજીના શપથ પર હર્ષવર્ધન ગુસ્સે: પૂર્વ કેન્દ્રીય મંત્રીને ન મળી ખુરશી, ગુસ્સામાં સમારોહ છોડી દીધો

Karnavati 24 News

નેતાઓના સંતાનોને ભાજપ ટિકિટ નહીં આપેઃ નડ્ડાએ કહ્યું- પિતા પ્રમુખ અને પુત્ર મહાસચિવ, પરિવારવાદની આ નીતિ ભાજપમાં નહીં ચાલે

Karnavati 24 News