Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

“હર ઘર તિરંગા” અભિયાન હેઠળ લુણાવાડા પોસ્ટ ઓફીસ દ્રારા રેલી યોજાઇ

દેશભરમાં આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ ભારત દેશના દરેક નાગરીકમાં રાષ્ટ્રીય ભાવનાનું સિંચન થાય અને તિરંગા પ્રત્યે સન્માનની ભાવના કેળવાઈ તેવા આશય સાથે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મહિસાગર જિલ્લા ખાતે“હર ઘર તિરંગા” અભિયાન હેઠળ લુણાવાડા પોસ્ટ ઓફીસ દ્રારા પ્રભાત રેલીનું આયોજન કરવામાં આવ્યું

”હર ઘર તિરંગા” અભિયાનમાં ભાગીદાર બનવા સમગ્ર દેશ થનગની રહ્યો છે. તા.૧૩ થી ૧૫ ઓગષ્ટ સુધી નાગરિકો પોતાના ઘર, દુકાન, જાહેર સ્થળો, કોમર્શીયલ ઇમારતો, ઉદ્યોગ સંસ્થાનો, સામાજિક અને સહકારી સંસ્થાઓ વગેરે જગ્યાએ શાનથી રાષ્ટ્રધ્વજને લહેરાવશે આ કાર્યક્રમનો હેતુ દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુ ને વધુ બળવત્તર બને અને દરેક નાગરિકના મનમાં પોતાના દેશ માટે ગર્વ સાથે દેશપ્રેમ વધે તેવો છે.

“આઝાદી કા અમૃત મહોત્સવ“દરમિયાન પોસ્ટ વિભાગ દ્વારા “NATIONAL FLAG”નું રૂ. ૨૫ ના મૂલ્યે વેચાણ થઈ રહ્યું છે. “NATIONAL  FLAG”નું વેચાણ મહીસાગર જિલ્લામાં આવેલ તમામ પોસ્ટ ઓફિસોમાં ચાલુ છે. “NATIONAL FLAG”નું વેચાણ રવિવાર તેમજ જાહેર રજાના દિવસે પણ તમામ પોસ્ટ ઓફિસમાં વેચાણ ચાલુ રહેશે જેની જાહેર જનતાએ નોંધ લેવા જણાવ્યું છે.લુણાવાડા પોસ્ટ ઓફીસ દ્રારા અત્યાર સુધીમાં ૯૦૦ થી વધુ તિરંગાનુ વેચાણ કર્યુ છે.

संबंधित पोस्ट

હે રામ !! આ વ્યક્તિને છૂટાછેડા લેવા મોંઘા, 8000 વર્ષ સુધી કેદમાં રહેવું પડશે

Karnavati 24 News

કોરોનાએ અમીર-ગરીબનું અંતર વધાર્યું: દર 30 કલાકે જન્મે છે એક અબજોપતિ,

Karnavati 24 News

કરનાલમાં 4 ખાલિસ્તાની આતંકવાદીઓની ધરપકડઃ સરહદ પારથી ડ્રોન દ્વારા હથિયારો, વિસ્ફોટકો અને શસ્ત્રો આતંકવાદીઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યા હતા

ત્રીજા વિશ્વયુદ્ધની ભયાનકતા! બાઇડનએ રશિયાને ચેતવણી આપી, કહ્યું કે જો હુમલો થશે તો યુક્રેન બદલો લેશે

Karnavati 24 News

પીએમ લાડલી લક્ષ્મી યોજના હેઠળ, સરકાર તમામ દીકરીઓને 1,60,000 લાખ રૂપિયા રોકડ આપી રહી છે! જાણો શું છે મામલો?

Karnavati 24 News

PMનો યુરોપ પ્રવાસ LIVE: મોદી બર્લિન પહોંચતા બાળકોને મળ્યા, ટૂંક સમયમાં જર્મન ચાન્સેલર ઓલાફ શુલ્ઝને મળશે