મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી. જેમાં વિવિધ વર્તમાન સહિત ના મુદ્દાઓ તેમજ વરસાદની તારાજી વગેરેને લઈને તેમજ અન્ય વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચવામાં આવેલા વિષયો આ પ્રમાણે છે
– ગુજરાતમાં તારંગા હિલ-અંબાજી-આબુરોડ નવી રેલવે પરિયોજનાની મંજૂરી માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રાજ્ય સરકાર વતી આભાર વ્યકત કરવામાં આવ્યો
– “રાષ્ટ્રીય ખનિજ વિકાસ પુરસ્કાર” અંતર્ગત સમગ્ર દેશમાં ગુજરાત કેટેગરી-3 હેઠળ ગૌણ ખનિજોની ઇ-હરાજીમાં પ્રથમ ક્રમે આવ્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદહસ્તે રૂ. 3 કરોડના પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા
,- “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં 18 થી 59 વર્ષના વય જૂથના નાગરીકોને વિનામુલ્યે આગામી 15 જુલાઈ, 2022ના રોજથી ૭૫ દિવસ સુધી કોવિડ વેક્સિનના પ્રિકોશન ડોઝ આપવામાં આવશે
– નજીકના ભવિષ્યમાં આવનારી ડ્રોન પાયલટની માંગને પહોંચી વળવા તથા આ ક્ષેત્રમાં નવી રોજગારીની તકો ઉભી કરવા રાજ્ય સરકાર દ્વારા નક્કર આયોજન કરવામાં આવ્યું છે
– કલોલ તાલુકાના ભોયણ રાઠોડ ગામ સ્થિત સ્વર્ણિમ સ્ટર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી ખાતે ડ્રોન ટેકનોલોજી સંબધિત તાલિમ આપવામાં આવશે તેમજ રાજ્યની 50 આઇ.ટી.આઇ ખાતે તાલિમ વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવશે.