Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

રોકાણકારો માટે ખુશખબર/ હવે યસ બેંકે પણ FD પરના વ્યાજદરોમાં કર્યો વધારો, જોઈ લો નવા દર

RBI દ્વારા રેપોરેટ વધાર્યા બાદ કેટલીય બેંકોએ તેના એફડી પરના વ્યાજદરમાં વધારો શરૂ કર્યો છે. આવી રીતે હવે વધુ એક બેંકે રાહત આપી છે. યસ બેંકે 2 કરોડ રૂપિયા સુધીની એફડી પર વ્યાજદરો વધાર્યા છે. નવા દર 18 જૂનથી લાગૂ થઈ જશે. જોકે આ વધારો 1થી 10 વર્ષ સુધી મેચ્યોરિટીવાળી એફડીમાં કર્યો છે.

હવે 7થી 10 દિવસની એફડી પર બેંક 3.25 ટકાથી 6.50 ટકા વ્યાજ આપી રહ્યા છે. જો કે, વરિષ્ઠ નાગરિકોને 3.75થી 7.25 ટકા સુધી વ્યાજ મળશે.

વ્યાજદરનું વિવરણ

બેંકે 7થી 14 દિવસની મેચ્યોરિટીવાળી એફડી પર 3.25 ટકા વ્યાજ આપી રહી છે. ત્યાર બાદ 15થી 45 દિવસવાળી એફડી પર 3.50 ટકા, 46થી 90 દિવસવાળી એફડી પર 4.00 ટકા અને 3થી 6 મહિનાથી ઓછી જમાવાળી એફડી પર 4.50 ટકા વ્યાજ આપી રહી છે. ત્યાર બાદ 6થી 9 મહિનામાં મેચ્યોર થતી જમારાશીવાળા પર 4.75 ટકા વ્યાજ મળી રહ્યું છે. 9 મહિનાથી 1 વર્ષથી ઓછા સમયગાળાવાળી એફડી પર બેંક 5.00 ટકા વ્યાજ આપી રહી છે. તેમાંથી એકેયમાં વ્યાજદર ચેન્જ થયા નથી.

બદલાયેલા વ્યાજદર

બેંકે 1 વર્ષથી 18 મહિનાથી ઓછી વાળી એફડી પર વ્યાજ દર 5.75 ટકાથી વધારીને 6.00 ટકા કરી દીધું છે. 18 મહિનાથી 3 વર્ષથી ઓછી મેચ્યોરિટીવાળી એફડી પર બેંકે 6.50 ટકાના દરથી વ્યાજ મળશે. તેમાં 0.50 ટકાનો વધારો કર્યો છે. ત્યાર બાદ 3થી 10 વર્ષની જમા રકમ પર એફડી પર બેંક 6.50 ટકાના દરથી વ્યાજ આપશે.

संबंधित पोस्ट

ટ્વિટર પછી, મસ્કએ પણ ભારતની યોજના પડતી મૂકી: ટેસ્લાનું ભારત લોન્ચ ખોરવાઈ ગયું

Karnavati 24 News

19 પૈસાનો સ્ટોક અદભૂત, 12 મહિનામાં માત્ર 1 લાખ રોકાણકારોએ 25 લાખ રૂપિયા આપ્યા

Karnavati 24 News

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, મેષ 13 જાન્યુઆરી: આજે વ્યવસાયમાં સખત મહેનત, વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવાથી અપેક્ષિત લાભ નહીં મળે.

Karnavati 24 News

 ચલાલા નગરપાલિકામાં ચીફ ઓફિસર સામે ઉઠ્યો વિરોધનો સૂર

Karnavati 24 News

LIC IPO: સરકાર એપ્રિલ 2022ના અંત સુધીમાં LIC IPO લોન્ચ કરી શકે છે, મંત્રીઓની પેનલ સમયમર્યાદા નક્કી કરી શકે છે

Karnavati 24 News

પાંચ મહિનાની નીચી સપાટીએ પહોંચી શકે છે રિટેલ મોંઘવારી, જુલાઈ માટે છૂટક ફુગાવો 6.65 રહેવાની ધારણા

Karnavati 24 News
Translate »