ગારીયાધાર પંથક માં દર વર્ષે કેટલાક ખાસ કિસ્સાઓમાં ખેત મજુરો કે જેઓ ગોધરા સહિતના અનેક પ્રાંતોમાંથી આવતા હોય છે. તેઓને શ્રમકાર્ય માટે મસમોટી રકમ પણ ખેડૂતો દ્વારા અપાઈ હોવાનું જાણવા મળેલ છે તેમ છતાં તે પૈકી અમુક મજુરો આ વર્ષે પરત ન આવતા ખેતીકાર્ય અને ૨કમ બંને અધ્ધરતાલ થવા પામેલ.જયારે કેટલાક ખેડૂતો એવા પણ છે કે, જેઓ દ્વારા ઉપરોકત તમામ ચિંતાઓ પડતી મુકી મીની ટ્રેકટર તથા બળદની સહાયથી ખેતીકામ કરી જાત મહેનત જીંદાબાદ સૂત્રને સાર્થક કરાયુ હતુ.જો કે, ભાગની ખેડાઈકામ હાલ ખેતીકામમાં ટ્રેકટરો દ્વારા થતુ હોય આ કાર્યો ઝડપી થતા જણાયા હતા જયારે નીંદામણ માટે તથા વાવેતર માટે ખેડૂતો ખેતમજુરોની શોધખોળ માટે તલપાપડ થતા દેખાયા હતા.જયારે હવે ઉપરોકત તમામ યાતનાઓ બાદ કુદરત કેટલી બિયારણ, ખાતર સહિતનું તથા મોટા મહે૨બાન થાય છે તે જોવુ રહ્યુ . આમ ગારીયાધાર તાલુકા ના અનેક વિસ્તારોમાં હાલ વાવણી લાયક વરસાદ થતાં લોકો માં ખુશીનો માહૌલ સર્જાયો હતો . ત્યારે ગારીયાધાર તાલુકા ના અનેક વિસ્તારોમાં ખેતી શરૂ થઈ હતી .