Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જુનાગઢ મહાનગરપાલિકામાં ભાજપના નગરસેવકોએ મંજીરા વગાડી તંત્રને ઢંઢોળવા કર્યો નવતર વિરોધ

જુનાગઢ વોર્ડ નંબર 10 માં આવેલા વાણંદ ગલી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે એકાંતરા પાણી પણ આવતું નથી આ વિસ્તારમાં ઘર પાસે ખાડા કર્યા તેમાં નળ છે તેમાં પણ પાણી આવતું નથી ત્યારે તેમાંથી પાણી ભરતા હતા પરંતુ પાણી ન આવતાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં કફોડી હાલત ઊભી થઈ છે આ ઉપરાંત અંબિકા ચોક નજીક આવેલા રૂપાલી એપાર્ટમેન્ટ પાસે મનપાનો બોર છે તેની મોટર ખરાબ થઈ ગઈ છે આથી મનપાની વોટર વર્કસ શાખાના સ્ટાફ ત્રણ દિવસથી મોટર કાઢી લઇ ગયા હતા ત્રણ દિવસ થવા છતાં મોટર ના આવતા લોકોને પાણી વિના હેરાન થવું પડ્યું તો આ મામલે મ વોર્ડ નંબર 10ના નગરસેવેક હિતેન્દ્રભાઈ ઉદાણીએ રજૂઆત કરી હતી પરંતુ કોઇ કાર્યવાહી ન થતાં આજે બપોરે મનપામાં વોટર વર્કસ શાખાના બહાર મંજીરા વગાડી અનોખો વિરોધ કરી તંત્રને ઢંઢોળવા પ્રયાસ કર્યો હતો ભાજપ શાસિત મનપામાં ભાજપના નગરસેવકોએ અનોખો વિરોધ કર્યો હતો છતાં મનપાની કોઈ અધિકારી કે કર્મચારી કોઈ દરકાર પણ લીધી નથી અંગે નગર સેવકે જણાવ્યું હતું કે પાણી મુદ્દે લોકોને ફરિયાદ મળતાં રજૂઆત કરી હતી અને તેનું નિરાકરણ ન આવતાં આ મુદ્દે વિરોધ કર્યો છે ટૂંક સમયમાં કાર્યવાહી નહીં થાય તો આંદોલન પણ કરવામાં આવશે

संबंधित पोस्ट

સુરતની કામરેજ સુગર ફેક્ટરીમાં આગ,બગાસના સંગ્રહિત જથ્થામાં આગ લાગતા નાસભાગ,ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો.!

Karnavati 24 News

આનંદ ઉલ્લાસના પર્વ મકર સક્રાંતિના આગમનને લઈને જામનગરની બજારોમાં રોનક વધી

Karnavati 24 News

 જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનો પારો ફરીથી પરત ફરતાં આંશિક રાહત: 16.2 ડિગ્રી તાપમાન

Karnavati 24 News

 ચલાલા નગરપાલિકામાં ચીફ ઓફિસર સામે ઉઠ્યો વિરોધનો સૂર

Karnavati 24 News

જૂનાગઢમાં સુભાષ આયુર્વેદિક હોસ્પિટલનુ મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ

Karnavati 24 News

ભરૂચ:ઉનાળાની શરૂઆત સાથે જ જળ ઓછાં થતા કાંઠા છોડતી નર્મદા નદી,અનેક સ્થળે નદી સુકાઈ

Karnavati 24 News