Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

રાધનપુરથી ગોચનાદ પુલ ઉપર ટ્રેક્ટર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં બે ઈજાગ્રસ્ત, 10 કિમી સુધી ટ્રાફિકજામ સર્જાયો

રાધનપુરથી મહેસાણા રોડ ઉપર આજે ગુરૂવારે વહેલી સવારે ગોચનાદ નદીના પુલ ઉપર ટ્રેક્ટરને ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે તાત્કાલિક રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે અકસ્માતના પગલે ઘણો લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.

રાધનપુરથી મહેસાણા હાઇવે પર ગોચનાદ નદીના પુલ ઉપર આજે ગુરૂવારે વહેલી સવારે જઈ રહેલા ટ્રેક્ટરને ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રેક્ટર અને ટ્રક બંન્ને પલટી મારી ગયા હતા. જેમાં બે લોકોને ઇજા થઈ હતી. જેમને 108 એમ્બ્યુલન્સ મારફતે રાધનપુર રેફલર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માત સર્જાતા પુલની જગ્યા ઉપર ટ્રેક્ટર અને ટ્રકે રોડ રોકતાં વાહનોની લાંબી કતારો લાગી હતી. જેમાં બસોમાં બેઠેલા પેસેન્જરો ઘણા સમયથી ટ્રાફિક હોવાથી ચાલતા નીકળી પડ્યા હતા. આ અકસ્માતના લીધે 10 કિલોમીટર સુધી ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા એમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

संबंधित पोस्ट

જૂનાગઢના તબીબના ઓનલાઈન ફ્રોડમાં ગયેલા એક લાખ પરત અપાવતી જુનાગઢ એસઓજી

Karnavati 24 News

आ गई वह शुभ घड़ी, 5 अगस्त 2020 को राममंदिर ही नहीं एक नए युग का भी है भूमिपूजन

Admin

 ભરૂચ ના દહેજ ખાતે આવેલ જોલવા ગામ ખાતે નજીવી બાબતે થયેલ ઝઘડા માં એક યુવકની હત્યા

Karnavati 24 News

 જામનગરની અદાલતે ઉપલેટાના વેપારીને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારી

Karnavati 24 News

ભિલોડાના કડવથમાં મહિલા સાથે બિભત્સ વર્તન કરી તેના પતિ પર ચપ્પુથી હુમલો

 એમ.એસ.યુનિ.ના ગેટ બહાર રોમિયોગીરી કરતા બે શખ્સો ઝડપાયા

Karnavati 24 News