Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

પોરબંદરમાં યોજાતા જન્માષ્ટમીનાં લોકમેળામાં પાલિકાએ ૩ કરોડનો વીમો લીધો ! !

પોરબંદર-છાંયા નગરપાલિકા જન્માષ્ટમીનાં પાંચ દિવસનાં મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. બે વર્ષ બાદ યોજાતા આ લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોય ત્યારે કોઇ દુર્ઘટના સર્જાય તો પાલિકાએ આ માટે ૩ કરોડનો વીમો લીધો હોવાનું જાણવા મળી રહયું છે. કોરોના કાળમાં બે વર્ષ બાદ પોરબંદરમાં જન્માષ્ટમીનાં લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૮ થી રર ઓગસ્ટ સુધી એટલે પાંચ દિવસ સુધી પોરબંદરનાં ચોપાટી મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં પોરબંદર ઉપરાંત અન્ય વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં લોકો મેળાને માણવા માટે આવશે. આ મેળા દરમિયાન કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટે પાલિકા દ્વારા તકેદારીનાં તમામ પગલા લેવામાં આવ્યાં છે. તેમ છતાં કમનસીબે કોઇ દુર્ઘટના સર્જાય તો યોગ્ય વળતર મળી રહે તે માટે પોરબંદર-છાંયા નગરપાલિકા દ્વારા મેળાનો ૩ કરોડનો વીમો લીધો હોવાનું જાણવા મળી રહયું છે. કારણ કે મેળામાં વિવિધ પ્રકારની રાઇડ તેમજ ખાણીપીણીનાં સ્ટોલ પણ રાખવામાં આવ્યાં છે. આ મેળા દરમિયાન કોઇ દુર્ઘટના સર્જાય તો અસરગ્રસ્તને યોગ્ય વળતર મળી રહે તે માટે પાલિકાએ ૩ કરોડનો વીમો લીધો છે. ભુતકાળમાં પોરબંદરનાં લોકમેળામાં દુર્ઘટના સર્જાઇ હતી તેનું પુનરાવર્તન ન થાય તે માટેનાં પગલા પણ પાલિકા દ્વારા લેવામાં આવ્યાં છે.

મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમની જમાવટ થશે
પોરબંદર-છાંયા નગરપાલિકા દ્વારા જન્માષ્ટમીનાં પાંચ દિવસનાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું  છે. જેમાં રાત્રિનાં સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.૧૮મીનાં રોજ સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાશે. તા.૧૯નાં રોજ એટલે કે જન્માષ્ટમીનાં દિવસે અન્ય શહેરની ઓરકેસ્ટ્રા દ્વારા મ્યુઝીકલ નાઇટ તા.ર૦નાં રોજ નિધી ધોળકીયા દ્વારા શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ યોજાશે. તા.ર૧નાં રોજ જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડનાં લોકડાયરાનું આયોજન અને તા.રરનાં રોજ ગુજરાતી જાણીતી લોકગાયિકા ગીતા રબારીનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમ મેળામાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

संबंधित पोस्ट

તળાજા તાલુકાના જૂની છાપરી ગામે મેલડી માતાજીનો 24 કલાક નો નવરંગો માંડવો યોજાયો

Karnavati 24 News

અરવલ્લી જિલ્લા માં લોકભાગીદારી સાથે બનશે પોલીસ ચોકી બનશે .

Admin

વલસાડ ગ્રામ પંચાયતનું 71.04 ટકા મતદાન

Karnavati 24 News

 દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખ્રીસ્તી સમાજના ભાઇ બહેનોને નાતાલની શુભેચ્છાઓ પાઠવી

Karnavati 24 News

પાસપોર્ટના અરજદારો માટે ખુશીના સમાચાર: કાલ શનિવારે પણ રાજકોટની પાસપોર્ટ ઓફિસ રહેશે ચાલુ

Admin

 રાજ્યની 8,684 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતગણતરી શરૂ

Karnavati 24 News