Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અંકલેશ્વરમાં સગા બાપે સગીર પુત્રી ઉપર અનેક વખત દુષ્કર્મ આચર્યું.

અંકલેશ્વરમાં સગા બાપે સગીર પુત્રી ઉપર અનેક વખત દુષ્કર્મ આચર્યું

અંકલેશ્વર તાલુકાના એક ગામમાં હવસખોર પિતાએ તેની 12 વર્ષની સગીરાને પીંખી નાખી હતી. છેલ્લા ત્રણ મહિનામાં સગીરા પર પિતાએ અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતું. જેની જાણ સગીરાની માતાને થતે તેણે પતિ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે. જેથી પોલીસે પોક્સો અને દુષ્કર્મનો ગુનો નોંધી પિતાની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
અંકલેશ્વર તાલુકાના એક ગામમાં પિશાચ બનેલા પિતાએ તેની માસુમ પુત્રીને પીંખી નાખી પોતાની હવસનો શિકાર બનાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 12 વર્ષની સગીરા છેલ્લા 3 મહિનાથી વારંવાર દુષ્કર્મનો ભોગ બની હતી. બાળકીના શરીરને પીંખતા આ પિશાચી પિતા સામે બાળકી કોઈને હકીકત પણ જણાવી શક્તિ ન હતી અને ચુપચાપ શારીરિક અને માનસિક યાતનાઓ સહન કરતી હતી. પિતાની કરતૂત જાહેર ન થાય તે માટે તે બાળકીને માર મારી ભયમાં રાખતો હતો. બે દિવસ અગાઉ માતાનું ધ્યાન દીકરીની પીડા તરફ જતા પૂછપરછમાં પિતાની કરતૂતનો પર્દાફાશ થયો હતો. જેથી માતા દીકરીને લઈ પોલીસ પાસે પહોંચી હતી અને ઘટના અંગે માતાએ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે પોક્સો અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

संबंधित पोस्ट

ભાજપે ચૂંટણીની તૈયારીઓ કરી શરૂ;CM પટેલની પાર્લામેન્ટ્રી બોર્ડમાં એન્ટ્રી

Karnavati 24 News

મહેસાણાનાં ધોળાસણ ગામમાં ક્રેન દ્વારા વૃદ્ધ ને ટક્કર મારી, નીચે કચડાતાં વૃદ્ધનું ધટના સ્થળે જ મોત નિપજ્યું

Karnavati 24 News

 ઓખાથી દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે બે મહિના માટે દોડશે સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

Karnavati 24 News

અમરેલીના રાજુલા તાલુકાના કોવાયા ખાતે લાખણોત્રા પરિવાર દ્વારા આયોજિત શિવકથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

Karnavati 24 News

સુતત માં બોગસ કબ્જા રસીદ તૈયાર કરી જમીન વહેંચી મારનાર ની કતારગામ પોલીસે ધરપકડ કરી

Karnavati 24 News

 શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્રમાં સેલ્યુટ તિરંગા ગુજરાત પ્રદેશની વિવિધ યોજનાઓનું આયોજન

Karnavati 24 News