Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

 દમણમાં 31st ડિસેમ્બરની નાઈટ પાર્ટીને કરફ્યુનું ગ્રહણ

દર વર્ષે વર્ષના અંતિમ દિવસને વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા પ્રવાસન સ્થળ દમણની હોટેલોમાં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડે છે. 31st ડિસેમ્બર નાઈટ પાર્ટીમાં શરાબ, સી-ફૂડ, વેજ-નોનવેજ વાનગીઓની લિજ્જત અને DJના તાલે ઝૂમવા આવતા પ્રવાસીઓ આ દિવસોમાં 2 કે 3 દિવસના પ્રવાસએ આવે છે.

આ વખતે દમણની હોટેલોમાં 31st નાઈટ પાર્ટીના આયોજન અંગે કોવિડ ગાઈડલાઈનના કારણે અસમંજસ ભરી સ્થિતિનું નિર્માણ થતા હોટેલ સંચાલકો અને પ્રવાસીઓ પ્રશાસનની નાઈટ કરફ્યુ ગાઈડલાઈનમાં ફેરફર થાય તે માટે કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

સંઘપ્રદેશ દમણમાં દર વર્ષે ગુજરાતના સુરત, અમદાવાદ, વડેદરા જેવા જિલ્લાઓમાંથી અને મહારાષ્ટ્ર જેવા પાડોશી રાજ્યોમાંથી પ્રવાસીઓ 31st નાઈટ પાર્ટીની મજા માણવા પહોંચતા હોય છે. 31st નાઈટ પાર્ટીની પૂર્વ તૈયારીના ભાગરૂપે દમણની તમામ હોટેલમાં પણ વિશેષ આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત અનેક વેરાયટીસભર વાનગી સાથે અન્ય સુવિધાની ઓફર કરતા પેકેજની જાહેરાત કરવામાં આવે છે. હોટેલોને રંગબેરંગી રોશનીથી શણગારી, વર્ષના અંતિમ દિવસ નિમિતે 12 વાગ્યા સુધી DJના તાલે પ્રવાસીઓ ઝૂમી શકે તેવો પ્રબંધ કરવામાં આવે છે.

દમણમાં આ વખતે 31st નાઈટ પાર્ટીના તમામ આયોજનો પર બ્રેક લાગી છે. તેનું કારણ છે, દમણ પ્રશાસન દ્વારા કોરોના મહામારીને ધ્યાને રાખી રાત્રીના 11 વાગ્યા બાદ કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. એટલે હોટેલોમાં પણ 12 વાગ્યા સુધી થતી DJ પાર્ટી અને લિકર, વેજ નોનવેજ વાનગીઓનું આયોજન કરવાનું હોટેલ સંચાલકોએ ટાળ્યું છે. હોટેલ સંચાલકોનું કહેવું છે કે, પ્રસાશનની ગાઈડલાઈન મુજબ 12 વાગ્યે પાર્ટી કરવી શક્ય નથી આ સાથે વધુ પ્રવાસી એકઠા કરવા પણ શક્ય નથી. એટલે આ વર્ષે 11 વાગ્યા સુધી જ હોટેલમાં આવેલા પ્રવાસીઓ માટે લાઈટ, મ્યુઝિક અને ખાણી-પીણીની વ્યવસ્થા કરી છે.

દમણમાં વર્ષના અંતિમ સપ્તાહમાં આવતા પ્રવાસીઓ દેવકા બીચ પર અને મોટી દમણ લાઈટ હાઉસ, જામપોર બીચ પર દરિયા કિનારે ફરી યાદગાર ક્ષણ મનાવે છે આ સાથે અહીંની પોર્ટુગીઝ ધરોહરને નજરો નજર જુવે છે અને જે તે હોટેલમાં રોકાણ કરી શરાબ, સી-ફૂડ વાનગીઓનો સ્વાદ લે છે. દર વર્ષની જેમ દમણની તમામ હોટેલોમાં 31st નાઈટ પાર્ટીને લઈને પ્રવાસીઓ બુકિંગ માટે તેમજ પાર્ટીના આયોજન અંગે ઇન્કવાયરી કરી રહ્યા છે. હોટેલ સંચાલકો હાલની પરિસ્થિતિ વર્ણવી કહે છે કે, જો પ્રશાસન દ્વારા ગાઈડલાઈનમાં ફેરફાર કરવામાં આવશે તો જ બુકિંગ સ્વીકારાશે. સાથે જ કોરોના મહામારીમાં સાવચેતી રાખી હાલમાં હોટેલમાં રોકાયેલા અથવા રોકાવા આવનાર પ્રવાસીઓને પણ સહકાર આપવા અપીલ કરી રહ્યા છે.

संबंधित पोस्ट

 નડિયાદ ખાતે સુશાસન દિવસની ઉજવણીનો કાર્યક્રમ દંડક પંકજભાઇ દેસાઇની અધ્યક્ષતામાં યોજાયો

Karnavati 24 News

ગાંધીનગર ખાતે ‘અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધા, ૨૦૨૪-૨૫’ નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

Gujarat Desk

મ્યુનિ.ની વર્તમાન ટર્મનું છેલ્લુ વર્ષ , વીસ જાન્યુઆરીથી મ્યુનિ.ના તમામ અંદાજપત્ર રજૂ કરાશે

Gujarat Desk

ખ્યાતિ હોસ્પિટલ ઘટના સંદર્ભે વિવિધ ધારાસભ્યશ્રીઓ દ્વારા ગૃહમાં પુછવામાં આવેલ પ્રશ્નોના મંત્રીશ્રીએ આપેલ જવાબ

Gujarat Desk

લતાજીને શ્રદ્ધાંજલિ આપવા ખોડલધામ મંદિરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો

Karnavati 24 News

અમદાવાદ ના મેમનગરમાં બેફામ કારચલકે એક સાથે 5-6 વાહનોને અડફેટે લીધા; 2 લોકો ઇજાગ્રસ્ત

Gujarat Desk
Translate »