Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

જુનાગઢ શહેર – જીલ્લા કોંગ્રેસ દ્વારા કોરોના સહાય મુદ્દે પત્રકાર પરિષદ યોજવામાં આવી

કોવિડ-19 મહામારીમાં ભાજપ સરકારના ગુન્હાહીત અને અણઘડ વહીવટને પરિણામે રાજ્યના લાખો નાગરિકોએ તેમના જીવ ગુમાવ્યા છે. ઉપરાંત મૃતકોના આંકડા છુપાવવાના અત્યંત નિંદનીય પ્રયાસો પણ ભાજપની સરકારે કર્યા છે.તાજેતરમાં સુપ્રિમકોર્ટની આકરી ટિપ્પણીઓના સંદર્ભમાં આ સઘળી હકીકતો બહાર આવી છે. આ અંગે પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી જગદીશભાઈ ઠાકોરની સૂચના અનુસાર જુનાગઢ શહેર – જીલ્લા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજી પડદા ફાસ કરવામા આવ્યો.

 

સરકારના ચોપડે નોંધાયેલ મૃત્યુથી ઘણી વધુ અરજીઓ આવી છે ગુજરાતમા અંદાજે 300,000 થી વધુ લોકો નાં મૃત્યુ થયા છે.અત્યાર સુધીમાં 91810 અરજીઓ આવી જેમાં 58,840 અરજી ઓ મંજૂર થઈ ૧૫૦૦૦ જેટલી અરજીઓ પેન્ડિંગ છે પાંચ હજાર જેટલી અરજીઓ રિજેક્ટ થઈ ૧૧ હજાર જેટલી અરજીઓ પ્રોસેસમાં છે.

સુપ્રીમ કોર્ટ એ કહ્યું લોકો સરકાર ની દયા પર નથી જીવતા… સરકાર વળતર ચૂકવિને કોઈની પર ઉપકાર નથી કરતી WHO એ ભારત સરકાર ના કોવીડ મૃત્યુ આંકડા પર વિશ્વાસ કરતું નથી.

 

જુનાગઢ શહેર – જીલ્લા માં 3100 થી વધારે અરજી ઓ થઇ છે. લોકો ને સહાય મેળવવા દરદર ભટકવું પડે છે. ભાજપ સરકાર દ્વારા જુનાગઢ શહેર – જીલ્લા ના મૃત્યુ આંક 168 નો જાહેર કરવામા આવ્યો હતો. ખોટા આંકડાઓ બતાવી લોકો ને સહાય થી વંચિત રાખવા ના પ્રયત્નો સરકાર દ્વારા થઇ રહ્યા છે.આ પ્રેસ કોન્ફરન્સ માં જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલ, જીલ્લા પ્રમુખ નટુભાઈ પોંકિયા, કોર્પોરેટ ર લલીત ભાઈ પરસાણા, કિશોરભાઈ  હળવા ની, ગાંડુભાઈ ઠેસિયા, વાસવાણીભાઈ, રાજુભાઇસોલંકી, અરવિંદભાઇ, નથુભાઈ, સફિભાઈબંગાલી,કુદુસભાઈ, દાદુભાઈ હાલા,નિકુંજભાઇ, કાનાભાઈ ઘરડેસા, શારદાબેન, ફરજનાબેન, વર્ષાબેન,નથુભાઈ, બાવનજીભાઈ પટોડિયા,સહીત આગેવાનો ઊપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

ચૂંટણીનું મનદુઃખ રાખીને એક ટોળાએ ઘરમાં ઘૂસીને દલિત પરિવારને અપમાનિત કરીને માર માર્યો

Karnavati 24 News

ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાના ધર્મપત્ની મેંદરડામાં આંબેડકર ચોક ગરબી મંડળમાં હાજરી આપી ગરબે રમ્યા

ભૂપેન્દ્ર પટેલને ગુજરાતમાં કોંગ્રેસ વિરુદ્ધ AAP વિશે પૂછવામાં આવે છે. તે સમજાવે છે

Karnavati 24 News

જામનગર ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજ્યકક્ષાના કૃષિ મેળાનું આયોજન કરાયું

Karnavati 24 News

કર્ણાટક ચૂંટણી માટે ભાજપની યોજના: યોગ દિવસ પર PM મોદી બેંગલુરુમાં હશે, 10 મહિના અગાઉથી પ્રચારની તૈયારીઓ

Karnavati 24 News

 વડીયાના હનુમાન ખીજડિયા ગામમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી

Karnavati 24 News