Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતતાજા સમાચારરાજકારણરાજ્ય

મારા માટે A ફોર એટલે આદિવાસી, પહેલી સભા મારા આદિવાસી ભાઇ-બહેનોના આશિર્વાદ લઇને કરીશ : મોદી

કપરાડાના નાનાપોંઢા ગામે પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જાહેર જનસભાને સંબોધી હતી.

  પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદી એ આજે ફરી એક દિવસ તેમના વતન ગુજરાતમાં બે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે જેમાં કપરાડા નજીક નાનાપોંઢા ખાતે જાહેરસભા અને ભાવનગર જવાહર ગ્રાઉન્ડ ખાતે સર્વજ્ઞાતિ સમુહ લગ્ન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદી સુરત એરપોર્ટ થી વલસાડ પહોંચી કાર્યક્રમ સ્થળ પહોંચ્યા હતા.
પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદીની જાહેરસભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી.જાહેરસભામાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં જીલ્લા પ્રમુ હેમંતભાઇ કંસારાએ પ્રસાંગીક સંબોધન કર્યુ હતું.
પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદી એ વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું કે, લોકતંત્રના ઉત્સવનું બ્યુગલ વાગ્યું છે. ચૂંટણી જાહેર થયા પછી ચૂંટણી પ્રચારનો પહેલો કાર્યક્રમ આદિવાસી ભાઇ-બહેનો વચ્ચે રાખ્યો છે તેનો મને ખૂબ જ આંનદ છે. મારા માટે A ફોર એટલે આદિવાસી.. એટલે મારા માટે સૌભાગ્યની વાત પણ છે કે મારી ચૂંટણીની પહેલી સભા મારા આદિવાસી ભાઇ-બહેનોના આશિર્વાદ લઇને કરીશ.
પીએમ મોદી એ વધુમાં જણાવ્યું કે, દિલ્હીમાં જે વાવળ આવે તે એ જ આવે છે કે ગુજરાતના લોકોએ ફરી એક વાર ભાજપની સરકાર બનાવવાનું મન બનાવી દીધું છે. ગુજરાત ફરી ભાજપ સરકાર બનાવશે તેની સાથે જૂના તમામ રેકોર્ડ તોડવાનુ પણ મન બનાવી દીધું છે. આ ચૂંટણીમાં ગુજરાત ભાજપ મારી પાસે જેટલો સમય માંગશે એટલો સમય હું આપીશ. આ વખતની ચૂંટણીમાં હું મારા જ રેકોર્ડ તોડવા માંગુ છું.

संबंधित पोस्ट

સંસદમાં EDની કાર્યવાહી પર હોબાળો, લોકસભા અને રાજ્યસભા આવતીકાલ સુધી સ્થગિત

Karnavati 24 News

10 ફેબ્રુઆરી, વિશ્વ કઠોળ દિવસ; ગુજરાતમાં કઠોળની નિકાસ વધીને 2,47,789 ટન (એપ્રિલ-જાન્યુઆરી) થઈ, જે ગત વર્ષની સરખામણીએ બમણી છે

Gujarat Desk

૩૩- પ્રાંતિજ વિધાનસભા માટે ઉમેદવાર તેમના નામની દરખાસ્ત ૧૭મી નવેમ્બર સુધી મોકલી શકશે

Admin

બિહારના મુખ્યમંત્રીને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર સુરતના યુવકની ધરપકડ

Karnavati 24 News

અમદાવાદ ના મેમનગરમાં બેફામ કારચલકે એક સાથે 5-6 વાહનોને અડફેટે લીધા; 2 લોકો ઇજાગ્રસ્ત

Gujarat Desk

નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, દાહોદ અને પિરામલ ફાઉન્ડેશન દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ તથા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી।

Admin
Translate »