Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

નદી ઉત્સવ’ ઉજવણીના ભાગરૂપે સિંચાઈ વિભાગ દ્વારા મેરેથોન દોડ યોજાઈ

દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે તા.૨૬ થી ૩૦ ડિસેમ્બર સુધી હાથ ધરાયેલ “નદી ઉત્સવ” અંતર્ગત પ્રકૃતિની અમૂલ્ય અને અતુલ્ય ભેટનું પુનઃગૌરવભેર સન્માન કરવા માટે નદી ઉત્સવની રાજ્યવ્યાપી ઉજવણી થઈ રહી છે, જેના આજે બીજા દિવસે સુરત સિંચાઈ વર્તુળ કચેરી દ્વારા SVNIT થી વાય જંકશન સુધી મેરેથોન દોડ યોજાઈ હતી. મેરેથોન દોડ પ્રસંગે ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રાણાએ ઉપસ્થિત રહીને દોડવીરોને પ્રોત્સાહિત કર્યા હતા. મેરેથોન દોડમાં ૪૫૦ જેટલા દોડવીરો જોડાયા હતા. પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમે આવેલા વિજેતાઓને મહાનુભાવોના હસ્તે રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે સુરત સિંચાઈ વિભાગના અધિક્ષક ઈજનેરશ્રી જે.સી.ચૌધરી, જિલ્લા રમતગમત અધિકારીશ્રી દિનેશ કદમ તથા દોડવીરો ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

Pakistan Vs England T20 WC Final: ઇગ્લેન્ડે બીજી વખત જીત્યો ટી-20 વર્લ્ડકપ, પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું

Karnavati 24 News

ટીમની કેપ્ટન્સીમાં સતત બદલાવ પર સૌરવ ગાંગુલીએ આપ્યો જવાબ, તેની પાછળનું અસલી કારણ જણાવ્યુ

Karnavati 24 News

સુરતમાં ચેસ ઓલમ્પિયાડ મસાલના આગમન સાથે શતરંજમા એક વિશ્વ વિક્રમ બન્યો

Karnavati 24 News

ક્રિસ ગેલ: ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝનો ખુલાસો ક્રિસ ગેલને ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ સામે તક આપવામાં આવશે નહીં, કહે છે કે તે સન્માન માટે યોગ્ય તક શોધી રહ્યો છે

Karnavati 24 News

ડી વિલિયર્સ આવતા વર્ષે IPLમાં જોડાશેઃ દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટનનું સમર્થન, કહ્યું- હું ચોક્કસથી RCBનો ભાગ બનીશ,

Karnavati 24 News

IND vs SA: શાર્દુલ ઠાકુર કહે છે 7 વિકેટ લેવા છતાં મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બાકી, ‘તિરાડે’ સફળતા અપાવી

Karnavati 24 News