Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

 કોરોના સામે સાવચેતીભર્યો નિર્ણય:વેક્સિનના બંને ડોઝ લીધા હશે તેને જ વાઇબ્રન્ટ સમિટમાં એન્ટ્રી મળશે

ઓમિક્રોનના ભય વચ્ચે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં એન્ટ્રી માટે સંપૂર્ણ વેક્સિનેશન એટલે કે કોરોના રસીના બંને ડોઝ ફરજિયાત બનાવાયા છે. સમિટમાં ભાગ લેનાર દરેકને આ સૂચના ગુજરાત સરકાર તરફથી આપવામાં આવી રહી છે. વાઇબ્રન્ટ સમિટમાં કેન્દ્ર સરકારની કોવિડ ગાઇડલાઇનના ચુસ્ત પાલન માટે પણ સૂચના આપવામાં આવી છે. ફેસ માસ્ક ફરજિયાત રાખવાની સાથે બે મીટરના સોશિયલ ડિસ્ટન્સનો અમલ પણ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન કરવાનો રહેશે. જેને કારણે મહાત્મા મંદિરની ક્ષમતા 5 હજારની છે તે જોતા ઘણા ઓછા લોકોને બોલાવાય તેવી શક્યતા છે. સેમિનાર હોલમાં પણ લિમિટેડ લોકોની હાજરી રખાશે. એકતરફ વાઇબ્રન્ટ સમિટમાં ઓછી સંખ્યામાં લોકોને ઉપસ્થિત રાખવાની કવાયત ચાલી છે બીજી તરફ વાઇબ્રન્ટમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશનની સંખ્યા વધતી જાય છે. હાલની સ્થિતિએ 9393 લોકોએ વ્યક્તિગત અને 5826 કંપનીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પાર્ટનર કન્ટ્રીમાં પણ વધારો થઇને 21 જેટલા દેશો વાઇબ્રન્ટ સમિટના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે. જેમાં એટ રિસ્ક દેશો પણ સામેલ હોવાથી સરકારે રસીકરણ અને અન્ય ગાઇડલાઇનના ચુસ્ત અમલ માટે સૂચનાઓ આપી છે.

संबंधित पोस्ट

मोगा मंडी मे कल शाम तक 68658 मीट्रिक टन धान की हुई खरीद

Admin

કાળઝાળ ગરમી પડતા પ્રાથમિક શાળાનો સમય સવારનો કરવા માંગણી કરાઇ

Karnavati 24 News

ભારતમાં રોજના ઓમિક્રૉનના આવી શકે છે 14 લાખ કેસ, સરકારની ચેતવણી

Karnavati 24 News

95 દેશના દોઢ લાખ લોકો પર પ્યૂરિસર્ચનો સરવે કરાતા જાણવા મળ્યું, 100 કરોડથી વધુ લોકો જાદુ-ટોણાંમાં વિશ્વાસ કરે છે

Admin

અમરેલી જિલ્લાના ભાદરવી અમાષ ના રોજ સુરાપુરા શ્રી પાતા દાદા ના નૂતન મંદિર નો જીણોદ્ધાર મહોત્સવ યોજાયો

Karnavati 24 News

મોડેલ ડે સ્કૂલ સણોસરા માં NCC દિવસ ની ઉજવણી કરાય

Admin