Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં HMPV વાયરસના નોંધાયેલ કુલ 10 કેસમાંથી એક પણ દર્દીનું મૃત્યુ થયુ નથી :- આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ



રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ પગલાઓના પરિણામે લોકોને  આ વાયરસથી સંક્રમિત થતા બચાવી શકાયા

(જી.એન.એસ) તા. 26

ગાંધીનગર,

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV)ના નોંધાયેલ કેસમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.

HMPV ના છેલ્લા એક વર્ષમાં ૧૦ કેસ નોંધાયા હતા. આ વાયરસને ફેલાતો અટકાવવા સરકાર દ્વારા સમયાંતરે ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ હોસ્પિટલોમાં બેડ, ઓક્સીજન, પી.પી.ઈ. કીટ, N-95 માસ્ક, ડ્રગ્સ અને લોજીસ્ટીક પૂરતા પ્રમાણમાં તેમજ વેન્ટીલેટર, PSA (PRESSURE SWING ADSORPTION) પ્લાન્ટ ફન્કશનલ કરાયા છે.

સરકાર દ્વારા આ રોગને અટકાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે જેમાં, HMPV રોગ ન ફેલાય તે માટે ILI (INFLUENZA LIKE ILLNESS) / SARI (SEVERE ACUTE RESPIRATORY INFECTION)ના કેસોની સઘન સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ કર્મીઓને (HMPV) રોગ અટકાયતી અને નિયંત્રણની કામગીરી બાબતે માર્ગદર્શન અપાયું.

આ ઉપરાંત મંત્રી શ્રી પટેલે કહ્યું કે, (HMPV) થી બચવા માટે શું કરવું અને શું ન કરવું તે અંગે પ્રચાર પ્રસાર કરાય છે રાજ્યની તમામ જિલ્લા હોસ્પિટલ અને મેડીકલ કોલેજને (HMPV)ના શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓનું કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ટેસ્ટીંગ કરાય છે. સરકાર દ્વારા વખતો-વખત જાહેર કરવામાં આવતી માર્ગદર્શિકા અનુસાર નિયંત્રણના પગલાં અને સારવાર વ્યવસ્થા સુનિશ્વિત કરાય છે.

संबंधित पोस्ट

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીને ઉષ્માભેર આવકારીને શુભકામનાઓ પાઠવી

Gujarat Desk

રાજકોટમાં કોરોનાની ફરી એન્ટ્રી: કોઇ પણ જાતની ટ્રાવેલ્સ હિસ્ટ્રી ન ધરાવતા પતી પત્નીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Karnavati 24 News

દાહોદ જીલ્લા ના મુલાકાલે 20 એપ્રીલ ના રોજ PM ની મુલાકાત ના પગલે વહીવટ તંત્ર તૈયારી મા લાગ્યા

Karnavati 24 News

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના: 76 લાખથી વધુ અન્ન સલામતી કાયદા હેઠળના કુટુંબોને વિનામૂલ્યે અનાજ પૂરું પાડી રહી છે ગુજરાત સરકાર

Gujarat Desk

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં વિવિધ સંવર્ગની ભરતી વાર્ષિક કેલેન્ડર મુજબ સત્વરે ભરતી કરાશે : ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

Gujarat Desk

આયુષ મેગાકેમ્પનો લાભ નગરજનો લઈ શકે તે માટે જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી દ્વારા જાહેર આમંત્રણ

Gujarat Desk
Translate »