Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

સમાજમાં તે મારુ નાક કપાવ્યું હવે હું તારુ નાક કાપીશ તેવુ કહી ઉશ્કેરાયેલા પતિએ પત્નીને છરીનાં ઘા માર્યા



ગોંડલમાં ઘરેલુ હિંસાને લઈને વધુ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો

(જી.એન.એસ) તા. 15

રાજકોટ,

ગોંડલમાં સિવિલ હોસ્પિટલની સામે નદીનાં ખાડામાં માતાજીનાં માંડવાના પ્રસંગમાં પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. સમાજમાં તે મારુ નાક કપાવ્યું હવે હું તારુ નાક કાપીશ તેવુ કહી ઉશ્કેરાયેલા પતિએ પત્નીને છરીનાં ઘા મારી દીધા હતા. ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં પત્નીને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. પરંતુ તેણીની હાલત વધુ ગંભીર હોય તેણીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઈ હતી. જ્યાં તેણીનુ મોત નિપજ્યું છે. બનાવનાં પગલે એ’ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઇ આનંદ ડામોર ઘટના સ્થળે દોડી જઇ તપાસનાં ચક્રો ગતિમાન કર્યા હતા. નાશી છુટેલા હત્યારા દિનેશને ગણતરીની કલાકોમાં જ ઝડપી લેવામાં આવ્યો છે. હાલ ઓરોપીની પુછપરછ ચાલી રહી છે. શંકાનાં કારણે પત્નીની હત્યા કર્યાનુ બહાર આવ્યુ છે.

આ મામલે મળતી માહિતી મુજબ ગોંડલનાં વોરાકોટડા રોડ પંચપીરની દરગાહ પાસે રહેતી 24 વર્ષની મહિલા ગત રાત્રે તેના પતિ સાથે સિવિલ હોસ્પિટલની સામે નદીનાં ખાડામાં માતાજીનાં માંડવાનો પ્રસંગ હોય ત્યાં આવ્યા હતા. ત્યાં અન્ય પરિવારજનો પણ હાજર હતા. ત્યારે મહિલા પંદર દિવસ પહેલા તેનાં કૌટુંબિક માસીયાઇ ભાઇને ત્યાં અમદાવાદ જતી રહી હોય તે વાત ઉખડતા બન્ને પતિ પત્નિ વચ્ચે ઝઘડો થયો હતો. તે સમયે ઉશ્કેરાયેલા પતિએ છરી કાઢી પત્નીને કહ્યું, તારાં માસીયાઇ ભાઇ પાસે જઈ તે સમાજમાં મારુ નાક કપાવ્યુ છે. હવે હું તારું નાક કાપીશ. છરી જોઇને પત્ની ભાગવા લાગી દરમિયાન પતિએ પત્નીના પીઠમાં છરીનાં ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા અને ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

મૃતક મહિલાના પરીવારજનોના જાણવ્યા અનુસાર, મહિલાએ ભંગારની ફેરી કરતા દિનેશ સાથે પાંચ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન જીવનથી તેમને એક દિકરો અને એક દિકરી એમ બે સંતાનો છે. છેલ્લા કેટલાક દિવસોથી મહિલાનો પતિ તેની પત્ની પર શંકા કરી ઝઘડો કરતો હતો. આખરે આ ઝઘડો હત્યામાં પરિણમ્યો છે. શંકાના કારણે થયેલા ઝઘડામાં બે બાળકોએ માતૃછાયા ગુમાવી પડી છે. અને પિતા જેલ હવાલે થતા બન્ને બાળકો નિરાધાર બન્યા છે. હાલ પોલીસે આરોપી પતિને ઝડપી લઇ તપાસ શરૂ કરી છે.

संबंधित पोस्ट

ઝોનલ સ્તરે માર્કેટિંગ પ્રદર્શન અને ખાદી ફેશન શોનું આયોજન

Gujarat Desk

ગુજરાતમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગત વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ

Gujarat Desk

રાજ્યના આ વર્ષના બજેટમાં ગુજરાત વહીવટી સુધારણા પંચ કાર્યરત કરવાની જાહેરાત પછી તરત જ પંચની રચના અને માત્ર એક જ મહિનામાં પંચનો પ્રથમ ભલામણ અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત

Gujarat Desk

ભારત પાકિસ્તાન વચ્ચે ગુપ્ત મંત્રણા ચાલુ

Karnavati 24 News

વિધાનસભાના અંદાજપત્ર સત્રને કારણે મુખ્યમંત્રીશ્રીનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે નહિ

Gujarat Desk

અમદાવાદમાં ભડભડ સળગી ઉઠી BRTS બસ, ડ્રાઈવરની સૂચકતાથી પેસેન્જર્સનો બચાવ

Karnavati 24 News
Translate »