Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનીત્રીજી વનડે મેચ 12 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે



(જી.એન.એસ) તા. 5

અમદાવાદ,

ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટી20 સીરીઝ રમાઈ ગઈ છે, આ પાંચ મેચની ટી20 સીરીઝમાં ભારતે ઇંગ્લેન્ડ સામે 4-1થી શાનદાર વિજય મેળવ્યો છે. હવે બંને દેશો વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ રમવાની છે.

ઇંગ્લેન્ડ સામેની સીરીઝ માટે ભારતીય ટીમ:-

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, રિષભ પંત, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા.

આ સીરીઝ ભારત અને ઈંગ્લેન્ડ બંને ટીમો માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તેને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ડ્રેસ રિહર્સલ કહેવામાં આવી રહી છે. આ સીરીઝ ICC ઇવેન્ટ પહેલા ઇંગ્લેન્ડ અને ભારત બંને માટે છેલ્લી સીરીઝ છે. એવામાં આ સીરીઝ ખૂબ જ રસપ્રદ બનવાની છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રણ મેચની ODI સીરીઝ રમશે જેમાં પહેલી મેચ ગુરુવાર, 6 ફેબ્રુઆરીના રોજ રમાશે. આ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. બીજી મેચ રવિવાર 9 ફેબ્રુઆરીએ કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાશે અને  ત્રીજી વનડે મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ બુધવાર, 12 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ છેલ્લી વનડે મેચ હશે. આ પછી બંને ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી માટે રવાના થશે. ભારતીય ટીમ દુબઈ જશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વનડે મેચ 12 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સીરીઝની ત્રીજી અને અંતિમ વન-ડે હશે. આ મેચ બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. આ મેચ માટેનો ટોસ બપોરે 1 વાગે થશે.

संबंधित पोस्ट

૩૮મી નેશનલ ગેમ્સમાં સુરતની બે દીકરીઓએ ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું

Gujarat Desk

છોટાઉદેપુર જિલ્લામાં જૂથ પાણી પુરવઠા યોજના થકી ૬૫૪ ગામોને લાભ અપાયો: જળસંપત્તિ અને પાણીપુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા

Gujarat Desk

છોટાઉદેપુર ચૂંટણીના પરિણામો બાદ બસપા અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ; પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ કાબુમાં લીધી

Gujarat Desk

ભાવનગર શહેરમાં અલગ અલગ 3 સ્થળોએ આગ ભભૂકી

Gujarat Desk

મહેસાણા જિલ્લામાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા નોંધણી ન કરાવી હોય તેવા ૨૯ વ્યાપારી એકમ સામે કાર્યવાહી કરી રૂ. ૫,૨૮,૫૦૦ માંડવાળ ફી વસૂલાઇ: અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળીયા

Gujarat Desk

સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરીવાર ભીષણ આગ લાગવાની ઘટના

Gujarat Desk
Translate »