Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

જામનગરમાં કોંગો ફીવરના કારણે એક વ્યક્તિ નું મોત



(જી.એન.એસ) તા. 28

જામનગર,

લગભગ પાંચ વર્ષ બાદ ફરી એક વખત જામનગરમાં પંચેશ્ર્વર ટાવર વિસ્તારમાં રહેતા 50 વર્ષિય એક આઘેડનું મૃત્યુ થતાં આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ પંચેશ્ર્વર ટાવરના ભરવાડ પાડામાં રહેતા મોહનભાઈ મેરૂભાઈ કટોરિયા નામના ૫૦ વર્ષીય આઘેડને તાવ આવતાં તેમને જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમનું ગઈકાલે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ હતું.

તેમના વિવિધ રિપોર્ટસ કરાવવામાં આવ્યા હતાં, જેમાં કોંગો ફીવર પોઝીટીવ હોવાનું જણાઈ આવ્યુ હતું. કોંગો ફીવર રિપોર્ટ બાદ જામનગર મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર પણ આજે હરકતમાં આવ્યું હતું, અને સંક્રમિત દર્દીના રહેણાંક વિસ્તારમાં દવાના છંટકાવ તેમજ સર્વે સહિતની કામગીરી હાથ ધરી હતી.

આશરે આ ફીવરનો પ્રથમ કેસ વર્ષ ૨૦૧૯ માં નોંધાયો હતો. જેમાં સરકારી હોસ્પિટલના રેસીડેન્ટ મહિલા તબીબને કોંગોથી સંક્રમિત થયો હતો હવે ફરી પાંચ વર્ષ બાદ કોંગો વાયરસે દેખાતાં શહેરીજનોમાં ભારે ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.

કોંગો ફિવરથી સંક્રમિત થનારા દર્દીઓમાં તાવની સાથે માંસ પેશીઓમાં દુ:ખાવો, માથાનો દુ:ખાવો અને ચકકર આવવા.  સંક્રમણના ૨ થી ૪ દિવસ પછી ઉંઘ ન આવવી, ડિપ્રેશન અને પેટના દુ:ખાવાની ફરિયાદ  મો, ગળા અને સ્કીન પર ફોલ્લીઓ થવી.

संबंधित पोस्ट

ગુજરાત સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૩ લાખના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ અપાઈ

Gujarat Desk

બેટ દ્વારકા ગઈકાલથી શરૃ થયેલા ઓપરેશન ડિમોલીશનના બીજા રાઉન્ડમાં આજરોજ રવિવારે પણ તંત્રએ દબાણ હટાવ ઝુંબેશ જારી રાખી

Gujarat Desk

અમરેલીના પાણીયા ગામે સિંહનાં હુમલામાં 7 વર્ષનાં બાળકનું મોત

Gujarat Desk

ઇન્સ્પેકશન કમેટીના ચેરમેન તરીકે બી.એડ. કોલેજ , નગરાળાનું ઇન્સ્પેકશન કરી ખૂટતા સૂચનો કર્યા

Karnavati 24 News

પોસ્ટ વિભાગ દ્વારા ‘નારી શક્તિ સપ્તાહ’ (3-8 માર્ચ)નું આયોજન, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે કર્યો શુભારંભ

Gujarat Desk

કેન્દ્રીય આયુષમંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાનાં અધ્યક્ષ સ્થાને સુરેન્દ્રનગર ખાતે આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

Admin
Translate »