Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

વડોદરા મહાનગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ મુદ્દે ભારે હોબાળો મચ્યો



(જી.એન.એસ) તા. 24

વડોદરા,

તાજેતરમાં યોજાયેલી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ફરી એક વાર એકજ મુદ્દા પર ભારે હોબાળો મચ્યો હતો. શાશકપક્ષ અને વિપક્ષના કોર્પોરેટરોએ  વિશ્વામિત્રી પ્રોજેક્ટના અમલીકરણ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેના કારણે સામ સામે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.

કોર્પોરેટરોનું કહેવું છે કે, વિશ્વામિત્રી રિપોર્ટ બનાવતી વખતે કોઈપણ પક્ષના સભ્યો, પર્યાવરણ નિષ્ણાતો કે સ્થાનિક લોકોના મંતવ્યો લેવામાં આવ્યા નથી. જેના કારણે પ્રોજેક્ટના અમલીકરણ અંગે ગંભીર શંકાઓ ઉભી થઈ છે. કોર્પોરેટરોએ પોતાના વિસ્તારની હાલત વર્ણવી હતી અને મેયર અને કમિશનરને જવાબદાર ઠેરવ્યા હતા. તેમનું કહેવું છે કે, પ્રોજેક્ટના કારણે તેમના વિસ્તારની દુર્દશા થઈ છે.

ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરેએ સામાન્ય સભામાં પોતાના વિસ્તારની પરિસ્થિતિ વર્ણવી મેયર અને  કમિશનરને ઘેર્યા હતા. આ સમગ્ર મામલો હવે ગાંધીનગરમાં રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટના ટેન્ડર મુદ્દે રાજકારણ ગરમાયુ છે. વિશ્વામિત્રી પ્રોજેકટની સૈદ્ધાંતિક મંજૂરી મળી જશે. વિપક્ષના કોર્પોરેટરોનું કહેવું હતું કે 100 દિવસની અંદર વિશ્વામિત્રી નું પાણી ખાલી કરી પૂર નિવારણ નું મોટું કામ કરવામાં આવશે તેવી વાતો જે કરવામાં આવે છે તેમ કેટલું તથ્ય છે તે જોવાનું રહેશે.

संबंधित पोस्ट

પરમજીત સિંહે ‘સન્ડે ઓન સાયકલ’ ને લીલી ઝંડી આપી, ફિટનેસ અને ડ્રગ-મુક્ત ભવિષ્યને પ્રોત્સાહન આપ્યું

Gujarat Desk

અમદાવાદ GPOની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલતનું આયોજન

Gujarat Desk

 જુનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે નવું જીમ આવ્યું તૈયાર કરવામાં

Karnavati 24 News

દિવાળીમાં રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ : ગુજરાતના આ જિલ્લામાં તંત્રનો આદેશ

Admin

તાલાલા પંથકનાં 4 ગામના લોકો દ્વારા મતદાન બહિષ્કાર કરાશે .

Admin

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આચારસંહિતાને કારણે જાન્યુઆરી-૨૦૨૫ મહિનાનો જિલ્લા-તાલુકા અને રાજ્ય “સ્વાગત” કાર્યક્રમ યોજાશે નહીં

Gujarat Desk
Translate »