Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

પ્રોપર્ટી કાર્ડ બનતા લોન માટે એપ્લાય કરી શકીશ, અને ખેતીવાડીમાં જરૂરી સાધન સામગ્રી લેવામાં આર્થિક મદદ મળશે – ચૌધરી ભરતભાઈ



(જી.એન.એસ) તા.૧૮

ગાંધીનગર,

સ્વામિત્વ યોજનાના હેઠળ ગામ વિસ્તારની સુધારેલી ટેક્નોલોજી સાથે ગામડાઓનું સર્વેક્ષણ અને મેપિંગ કરીને તેના માલિકોને પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ કરવામાં આવે છે. આ ઉપરાંત આ યોજના થકી મહિલાઓ પણ મિલકતોની માલિકી મેળવી શકે છે. આ યોજનાનો ઉદ્દેશ જમીનના સચોટ રેકોર્ડ બનાવીને મિલકતના વિવાદોને ઘટાડવાનો છે. આ યોજનાના પરિણામે મિલકતના વિવાદોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આવી જ સમસ્યામાંથી મુક્તિ મેળવતા માણસાના ચૌધરી ભરતભાઈ વેલાજી જણાવે છે કે, “હું જન્મથી જ જે ઘરમાં રહું છું તે ઘર મારું છે તેઓ કોઈ દસ્તાવેજી પુરાવો અત્યાર સુધી મારી પાસે ન હતો. પરંતુ આ સ્વામીત્વ યોજના થકી આજે મને આ ઘર મારું છે  તે સાબિત કરતો પુરાવો સરકાર શ્રી દ્વારા પ્રોપર્ટી કાર્ડ રૂપિયા આપવામાં આવ્યો છે”. સરકારે આવાસ યોજના અંતર્ગત માત્ર ઘરનું ઘર નહીં પણ સ્વામિત્વ યોજના અંતર્ગત પોતાના ઘરના કાયદેસરના પુરાવા પણ આપ્યા છે.જે બદલ સરકારશ્રીનો તેઓએ ખુબ ખુબ આભાર વ્યક્ત કરતા વધુમાં ઉમેર્યું હતું કે, હવે હું, લોન માટે એપ્લાય કરી શકીશ, અને ખેતીવાડીમાં જરૂરી સાધન સામગ્રી લેવામાં આર્થિક મદદ મળશે.

संबंधित पोस्ट

રાજ્ય કક્ષાનો મિલેટ મહોત્સવ અમદાવાદ ખાતે યોજાશે; મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મિલેટ મહોત્સવનું ઉદ્ઘાટન કરાશે

Gujarat Desk

રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી અંતર્ગત મતદાનના દિવસે શ્રમયોગી-કર્મચારીઓને સવેતન રજા આપવાની રહેશે

Gujarat Desk

રાજ્યની જનતાનો ગુજરાત બજેટ 2025-26ને ઉમળકાભેર આવકાર, દરેક ક્ષેત્ર અને વર્ગના લોકો માટે સંતોષકારક ગણાવ્યું

Gujarat Desk

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત રાજ્યમાં 3 હજારથી વધુ સામુહિક શૈચાલયોમાં દિવ્યાંગો માટે ખાસ સુવિધાઓ

Gujarat Desk

અમદાવાદમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પત્રકાર હોવાની ઓળખ આપી ખંડણી માગતી ટોળકી ઝડપાઈ

Gujarat Desk

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માતમાં 4ના ઘટનાસ્થળે મોત થયા

Gujarat Desk
Translate »