ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી તેમને ડાયલ 112 પર મેસેજ મોકલીને આપવામાં આવી છે. યુપીએટીએસ સહિત તમામ એજન્સીઓને ધમકીઓ મળવાની માહિતી આપવામાં આવી છે. માહિતી અનુસાર, 23 એપ્રિલની રાત્રે ડાયલ 112 પર એક મેસેજ આવ્યો હતો જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. સુશાંત ગોલ્ફ સિટી પોલીસે 24 એપ્રિલની સવારે આ સંબંધમાં એફઆઈઆર નોંધી છે. પોલીસ એફઆઈઆર નોંધીને મામલાની તપાસ કરી રહી છે.
આ અંગે FIR દાખલ કરવામાં આવી છે. એફઆઈઆર મુજબ, 23મી એપ્રિલે રાત્રે 8.22 કલાકે યુપી ડાયલ-112 હેડક્વાર્ટર સોશિયલ મીડિયાના વોટ્સએપ ડેસ્ક પર 9151400148 પર મુખ્યમંત્રીને મારી નાખવાની ધમકી મળી હતી. ચેટમાં કહેવામાં આવ્યું- યોગી સીએમ કો માર દૂંગા જલ્દી હી.
અગાઉ પણ મળી છે ધમકીઓ
જણાવી દઈએ કે અસદના એન્કાઉન્ટર અને ત્યારબાદ અતીક અહેમદ અને અશરફની હત્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ પહેલા 18 એપ્રિલે પણ તેમણે સોશિયલ મીડિયા પર મારી નાખવાની ધમકી મળી હતી. પોલીસના જણાવ્યા અનુસાર અમન રઝા નામના વ્યક્તિએ ફેસબુક પર એક મેસેજ પોસ્ટ કર્યો હતો જેમાં મુખ્યમંત્રીને ગોળી મારી દેવાની ધમકી આપવામાં આવી હતી.
આ પહેલા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એક ન્યૂઝ ચેનલને મોકલવામાં આવેલા મેલમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ઈમેલ લખનઉથી મોકલવામાં આવ્યો હતો. જે બાદ નોઈડા પોલીસે લખનઉથી એક કિશોરને પકડી લીધો હતો.
આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસ (નોઈડા) રજનીશ વર્માએ જણાવ્યું કે, “તપાસના આધારે ઈમેલ મોકલનારને ટ્રેસ કરવામાં આવ્યો હતો અને તેની હાજરી લખનઉના ચિનહાટ વિસ્તારમાં મળી આવી હતી. ઈ-મેલ મોકલનાર એક શાળાનો છોકરો હોવાનું બહાર આવ્યું છે, જેણે હમણાં જ તેનું ધોરણ 11મું પૂરું કર્યું છે અને આ સત્રમાં તેનું ધોરણ 12મું શરૂ થશે.”