Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

સદસ્યતા રદ કરવા મામલે રાહુલ ગાંધી જશે સુપ્રીમકોર્ટ, નિવેદનને પૂર્ણેશ મોદીએ 13 કરોડ લોકો સાથે જોડ્યુ હતું

કોંગ્રેસ દિગ્ગજ નેતા રાહુલ ગાંધીને કાયદાની કલમ 500 હેઠળ માનહાની કેસમાં દોષિત જાહેર કરાયા છે. સુરતની સેશન્સ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો તેના 24 કલાકમાં રાહુલ ગાંધીએ સંસદનું સભ્યપદ ગુમાવ્યું છે.

દોષિત જાહેર થયા બાદ સજાની સુનાવણી કોર્ટ દ્વારા સંભળાવવામાં આવી હતી. જેમાં પૂર્ણશ મોદી દ્વારા માનહાની કેસમાં રાહુલ ગાંધીને કોર્ટે અગાઉ કરવામાં આવેલી ટીપ્પણી બદલ દોષિત ઠેરવ્યા હતા.  નિવેદનને પૂર્ણેશ મોદીએ 13 કરોડ લોકો સાથે જોડ્યુ હતું. માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સજા અપાવવા માટે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ઘણી તૈયારીઓ કરી હતી. જેમાં હવે રાહુલ ગાંધી માટે મુશ્કેલીઓ પણ વધી છે.

સુરતના બીજેપી ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે કેસ કર્યો હતો. સુરતની કોર્ટે તેમને બદનક્ષી બદલ દોષિત ઠેરવી બે વર્ષની સજા ફટકારી હતી. જો કે, પૂર્ણેશ મોદી પોતે વકીલ છે જેથી તેમને સુરતના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલના નિવેદનને મોટી વસ્તીના અપમાન સાથે જોડ્યું હતું.

કર્ણાટકના કોલારમાં રાહુલ ગાંધીનું નિવેદન 13 કરોડ લોકોના અપમાન સાથે જોડાયેલું હતું. આ ઉપરાંત પૂર્ણેશ મોદીએ પોતાની અરજીમાં માનહાનિના એક ડઝનથી વધુ કેસનો સંદર્ભ આપીને કોર્ટમાં જોરદાર અરજી કરી હતી. જેના કારણે ત્રણ વર્ષ 11 મહિના અને આઠ દિવસ સુધી ચાલેલા આ કેસમાં રાહુલ ગાંધીને કોઈ રાહત મળી શકી નથી. રાહુલ ગાંધીની મુશ્કેલીઓ તેના કારણે વધી છે. રાહુલ ગાંધી પર લાગેલા આરોપો સાથે તેમના તરફથી આપવામાં આવેલી દલીલો પણ નોંધવામાં આવી હતી.

23 માર્ચે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા બાદ કોર્ટે તેમને બોલવાની તક આપી હતી. બચાવ પક્ષના વકીલે કોર્ટમાં કહ્યું કે, આ ગુના પહેલા રાહુલ ગાંધીને કોઈ પણ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા નથી. આવી સ્થિતિમાં આરોપી પક્ષ તરફથી દયા અને માફીની કોઈ માંગ નથી. જો કે, ગઈકાલે સુનાવણી બાદ આજે રાહુલ ગાંધીને સભ્ય પદ ગુમાવવાનો વારો આવ્યો હતો.

संबंधित पोस्ट

जगदीप धनखड़ को उप राष्ट्रपति चुने जाने पर राष्ट्रपति और प्रधानमंत्री समेत कई नेताओं ने दी बधाई

Karnavati 24 News

बीजेपी हिंदू देवी-देवताओं की संरक्षक नहीं, बंगालियों को यह नहीं सिखाना चाहिए कि देवी काली की पूजा कैसे करें: महुआ मोइत्रा

Karnavati 24 News

दिल्ली के विधायक 66% बढ़ोतरी के बावजूद सबसे कम वेतन पाने वाले सांसदों में हो सकते हैं |

Karnavati 24 News

अमेठी : रामचरितमानस को लेकर स्वामी प्रसाद ने फिर दिया बयान, कहा महाकाव्य है धार्मिक ग्रन्थ नहीं

Admin

નોર્થ ઈસ્ટમાં ફરી ચાલ્યું મોદી મેજીક, 8માંથી 6 રાજ્યોમાં ભાજપની સરકાર; ઘટી રહી છે કોંગ્રેસની જમીન

Admin

स्वर कोकिला भारतरत्न आदरणीय स्व लता मंगेशकर को दानह तथा दमण-दीव भाजपा द्वारा श्रद्धांजलि दी गई

Karnavati 24 News