કોવિડ-19નો સમય વિત્ય બાદ હવે નાના-મોટા ધંધાઓ, છૂટક વેપારોની ગાડી ધીરે-ધીરે પાટા ઉપર ચડી રહી છે. પરંતુ કોરોના કાળમાં નાના વેપારીઓ અને શેરી ફેરિયાઓને છૂટક ધંધાઓમાં માઠી અસર ભોગવવી પડી હતી.
..COVID-19થી અસરગ્રસ્થ શહેરી શેરી ફેકોવિડ-19નો સમય વિત્ય બાદ હવે નાના-મોટા ધંધાઓ, છૂટક વેપારોની ગાડી ધીરે-ધીરે પાટા ઉપર ચડી રહી છે. પરંતુ કોરોના કાળમાં નાના વેપારીઓ અને શેરી ફેરિયાઓને છૂટક ધંધાઓમાં માઠી અસર ભોગવવી પડી હતી. COVID-19થી અસરગ્રસ્થ શહેરી શેરી ફેરિયાઓ તેમનો વ્યવસાય શરૂ કરી શકે તે હેતુથી ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા શેરી ફેરીયાઓને વર્કિંગ કૅપિટલ લોન અપાવવા માટે પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ, પીએમ સ્વનિધિ શેરી વિક્રેતાઓ માટે વિશેષ માઈક્રો-ક્રેડિટ સુવિધા માટેની યોજના અમલમાં મૂકવામાં આવી હતી.જેમાં શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનવા માટે 10,000થી 50,000 સુધીની લોન આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ યોજનાનો લાભ વધુને વધુ નગરજનોને મળે તે માટે પાલિકા સદસ્ય મહેન્દ્રસિંહ ઝાલાએ ધારાસભ્ય કિરીટસિંહ રાણાને રજૂઆત કરી હતી.રિયાઓ તેમનો વ્યવસાય શરૂ કરી શકે તે હેતુથી ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા શેરી ફેરીયાઓને વર્કિંગ કૅપિટલ લોન અપાવવા માટે પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ, પીએમ સ્વનિધિ શેરી વિક્રેતાઓ માટે વિશેષ માઈક્રો-ક્રેડિટ સુવિધા માટેની યોજના અમલમાં મૂકવામાં આવી હતી. જેમાં શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનવા માટે 10,000થી 50,000 સુધીની લોન આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ યોજનાનો લાભ વધુને વધુ નગરજનોને મળે તે માટે પાલિકા સદસ્ય મહેન્દ્રસિંહ ઝાલાએ ધારાસભ્ય કિરીટસિંહ રાણાને રજૂઆત કરી હતી. પાલિકા કચેરીએ યોજનાનું ફોર્મ ભરી યોજનાનો લાભ છેવાડાના વિસ્તાર સુધી અપાવ્યો હતો. ચિફ ઓફિસર તુષાર ઝાલરિયા, મહેન્દ્રસિંહ ઝાલા સહિત પાલિકાના સદસ્યોના પ્રયાસોથી યોજના થકી 1.90 કરોડ રૂપિયાની લોન આપી લીંબડીના શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવા મદદ કરી હતી. શહેરમાં ફેરી કરતા શેરી ફેરિયાઓને બેંકના ખાતામાં રકમ જમા કરવામાં આવી છે.