દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં એક બંધ મકાનમાં અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મકાનનું તાળુ તોડી મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા. ૨,૧૬,૧૬૦ની મત્તાની ચોરી તસ્કરો ફરાર થઈ જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ગત તા.૧૧મી ફેબ્રુઆરીના રોજ ફતેપુરા નગરમાં જય અંબે સોસાયટીમાં રહેતાં માનસીંગભાઈ શંકરભાઈ તડવીના બંધ મકાનમાં રાત્રીના કોઈપણ સમયે અજાણ્યા ચોર ઈસમોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કર્યાે હતો અને મકાનમાં મુકી રાખેલ તિજાેરી તોડી અંદરથી એક સોનાનો સેટ કિંમત રૂા. ૧,૯૦,૦૦૦, સોનાની વીંટી નંગ. ૧ કિંમત રૂા. ૧૬,૧૬૦ તેમજ રોકડા રૂપીયા વિગેરે મળી કુલ રૂા. ૨,૧૬,૧૬૦ની મત્તાની ચોરી કરી અજાણ્યા ચોર ઈસમો નાસી જતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ સંબંધે માનસીંગભાઈ શંકરભાઈ તડવીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત તા.૧૧મી ફેબ્રુઆરીના રોજ ફતેપુરા નગરમાં જય અંબે સોસાયટીમાં રહેતાં માનસીંગભાઈ શંકરભાઈ તડવીના બંધ મકાનમાં રાત્રીના કોઈપણ સમયે અજાણ્યા ચોર ઈસમોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કર્યાે હતો અને મકાનમાં મુકી રાખેલ તિજાેરી તોડી અંદરથી એક સોનાનો સેટ કિંમત રૂા. ૧,૯૦,૦૦૦, સોનાની વીંટી નંગ. ૧ કિંમત રૂા. ૧૬,૧૬૦ તેમજ રોકડા રૂપીયા વિગેરે મળી કુલ રૂા. ૨,૧૬,૧૬૦ની મત્તાની ચોરી કરી અજાણ્યા ચોર ઈસમો નાસી જતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.